Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહને ટેલીસ્કોપનો હતો શોખીન, આ વિષયમાં હતો બહુ રસ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતનાં નિધનથી બોલીવુડ શોકમાં છે. 34 વર્ષનાં સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. તેઓ ફક્ત એક સારા એક્ટર જ ન હતા પરંતુ તેને બ્રહ્માંડ સાથે જોડાયેલાં રહસ્યોમાં ઉંડો રસ હતો. આ જ કારણ છેકે, તેણે પોતાના ઘરમાં એક એડવાન્સ ટેલિસ્કોપ પણ રાખ્યું હતું. વાસ્તવમાં સુશાંત એસ્ટ્રોફિઝીક્સ અને તારાની દુનિયામાં ઘણો રસ રાખતો હતો.

આ જ કારણ છેકે, તેણે LX-600 નામનું ટેલિસ્કોપ ખરીદ્યું હતું. આ ટેલિસ્કોપને વિશ્વના સૌથી અદ્યતન ટેલિસ્કોપમાંથી માનવામાં આવે છે. આ ટેલિસ્કોપ એસ્ટ્રોફોટોગ્રાફીના ક્ષેત્રમાં એક મોટું પગલું માનવામાં આવે છે.

સુશાંતે આ ટેલિસ્કોપ તેના સી ફેસિંગ ઘરની બહાર લગાવેલું હતું અને આની મદદથી તે શનિ ગ્રહની રીંગો સુધી જોઈ શકતો હતો. સુશાંતની પાસે થિયોરેટિકલ ફિઝીક્સની લગભગ 125 પુસ્તકો હતી અને તે હંમેશાં બ્લેક હૉલ અને વૉર્મ હોલ સાથે જોડાયેલી થિયરીને લઈને ઘણો પેશનેટ રહ્યો હતો.

તેને કોલેજના દિવસોથી જ એસ્ટ્રોફિઝિક્સમાં રસ હતો. ઉલ્લેખનીય વાત એ છે કે સુશાંતની આત્મહત્યાને કારણે ચાહકોની સાથે બોલીવુડ પણ આઘાતમાં છે. છેલ્લાં થોડા સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું હતુ. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page