Only Gujarat

Bollywood

બોલિવૂડના આ દિગ્ગસ સ્ટાર્સ પરિણીત હોવા છતાં બીજી એક્ટ્રસના પ્રેમમાં હતાં પાગલ

મુંબઈઃ પ્રેમ ક્યારે અને ક્યાં થઈ જાય, તેની કોઈને ખબર નથી. બોલિવૂડના અનેક સેલેબ્સ જે પરિણિત હોવા છતાં પણ તેમને અન્ય સેલેબ્સ સાથે પ્રેમ થયો હતો. જેના લીધે કેટલાંક સેલેબ્સ ખૂબ જ ચર્ચામાં રહ્યા. તો કેટલાકના સેલેબ્સના ઘર તૂટતાં-તૂટતાં રહી ગયા. અમે તમને જણાવીએ એવા સેલેબ્સના રસપ્રદ કિસ્સા.

પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન
પ્રિયંકા ચોપરા સાથે શાહરૂખ ખાનના લિંકપ્સના સમાચાર ચર્ચામાં ખૂબ જ રહ્યાં હતાં, જે તેમના કરિયરની સૌથી મોટી પહેલી કોન્ટ્રોવર્સી હતી. જોકે, બંનેએ આ મુદ્દે કંઈ કહ્યું નહોતું અને આરોપોથી બચતા રહ્યાં હતા. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ તેમના અને શાહરૂખના અફેરમુદ્દે કઈ પણ કહેવાની ના પાડી હતી, તો પ્રિયંકાએ અનેક જગ્યાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમની જિંદગીમાં શાહરૂખ ખાન માટે કોઈ જગ્યા નથી. રિપોર્ટ મુજબ, આ અફવાને લીધે પ્રિયંકાના ગૌરી અને કરણ જોહર સારા ટર્મ નથી.

જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફના અફેરની ચર્ચા ખૂબ જ હતી
જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ અને બોલિવૂડ એક્ટર સાહિલ ખાનના કથિત અફેરની ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા હતી. આ વાતની શરૂઆત વર્ષ 2009માં તે પ્રોડક્શન હાઉસથી થઈ જેને બંનેએ સાથે શરૂ કર્યું હતું. બંનેની આ પાર્ટનરશિપે વર્ષ 2014માં એક ખરાબ રૂપ લીધું હતું, જ્યારે આયેશા સાહિલ વિરુદ્ધ કેસ દાખલ કરવાની હતી. કહેવામાં આવે છે કે, આ પછી સાહિલના વકીલે બંનેના કેટલાક ઇન્ટિમેટ ફોટો કોર્ટમાં રજૂ કર્યાં હતાં, જેમાં બંને ક્રોમ્પ્રોમાઇઝિંગ સિચુએશનમાં હતાં. ઉલ્લેખનીય છે કે, બંને વચ્ચે પ્રોફેશનલ કમિટમેન્ટથી પણ વધારે બોન્ડિંગ હતી. જોકે, પછી આયેશા એ એવું કહ્યું હતું કે, ‘તેમનું અફેર ન હોઈ શકે કેમ કે, સાહિલ ગે છે’

સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા
આવો જ એક કિસ્સો સની દેઓલ અને ડિમ્પલ કપાડિયાનો પણ છે. વર્ષ 1973માં 16 વર્ષની ડિમ્પલ કપાડિયાએ તેમની પહેલી ફિલ્મ ‘બૉબી’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી અને તે વર્ષે જ રાજેશ ખન્ના સાથે લગ્ન પણ કર્યાં હતાં. સની દેઓલે વર્ષ 1983માં ‘બેતાબ’થી ડેબ્યુ કર્યું અને તેમની આકર્ષક પર્સનાલિટીને કારણે અનેક એક્ટ્રસના દીલમાં વસી ગયા હતાં. ડિમ્પલ અને સનીની ધમાકેદાર જોડી અનેક ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં ‘અર્જુન’, ‘મંજિલ મંજિલ’, ‘આગ કા ગોલા’, ‘ગુનાહ’ અને ‘નરસિમ્હા’ જેવી ફિલ્મો સામેલ છે. આ સાથે જ બંને પરિણિત હોવાં છતાં તેમના અફેરની અફવા ઉડતી હતી. કહેવાય છે કે, આ પછી ડિમ્પલ કપાડિયા રાજેશ ખન્નાથી અલગ રહેવા લાગી હતી. તો એવું પણ કહેવામાં આવે છે કે, 11 વર્ષ સુધી સની દેઓલ અને ડિમ્પલ કપાડિયાનું કથિત અફેર ચાલ્યું હતું. મીડિયામાં ચર્ચા ત્યાં સુધી હતી કે, સની દેઓલની પત્ની પૂજાએ તેમને આ સંબંધ પૂરો કરવાની ધમકી આપી હતી, અને બંને દીકરાઓને લઈ ઘરની બહાર પણ જતાં રહેવાં પણ કહ્યું હતું.

પ્રભુદેવા અને નયનતારાના અફેરનો કિસ્સો
પ્રભુદેવા અને નયનતારાના અફેરના કિસ્સામાં એક મોટું ટ્વિસ્ટ છે. ચર્ચા હતી કે, પ્રભુદેવાએ લગ્ન કરવા માટે તેમની પહેલી પત્ની પાસે ફોન પર મંજૂરી માગી હતી. પ્રભુદેવા અને લતાએ વર્ષ 1995માં લગ્ન કર્યા અને આ પછી તેમની લાઇફમાં એન્ટ્રી થઈ નયનતારાની. વાત એટલી વધી ગઈ હતી કે, પ્રભુદેવાએ પત્નીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવે છે કે, લતાએ તેમનું લગ્નજીવન બચાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યાં હતાં. પહેલાં સમાધાન કરવા માટેની અપીલ કરી લતા કોર્ટ પહોંચી અને ધમકી આપી કે, તેમની માગ પૂરી નહી થાય તો તે ભૂખ હડતાલ પર જતી રહેશે. જોકે, તે તેમના પ્રયત્નમાં સફળ થઈ શકી નહીં અને તેમનો સંબંઘ તૂટી ગયો.

રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઈ પણ ચર્ચામાં રહ્યા
બોલિવૂડના પોપ્યુલર ડિરેક્ટર રોહિત શેટ્ટીએ વર્ષ 2005માં માયા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2012માં રોહિતના અફેરની પણ અફવા સામે આવી હતી. કહેવામાં આવે છે કે, રોહિત અને પ્રાચી દેસાઈ ફિલ્મ ‘બોલ બચ્ચન’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યાં હતાં. જોકે, એવું કહેવામાં આવે છે કે, રોહિત શેટ્ટીએ તેમનું લગ્નજીવન યોગ્ય સમયે સંભાળી લીધું હતું.

શિલ્પા માટે રાજ કુન્દ્રાએ લીધો હતો મોટો નિર્ણય
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પહેલાંથી જ પરિણિત હતાં. રિપોર્ટ્સ મુજબ, 3 વર્ષનું તેમનું લગ્નજીવન ત્યારે ખરાબ થયું જ્યારે ‘બિગ બ્રધર’ જીત્યા પછી રાજ શિલ્પાને મળ્યો હતો. રાજ કુંદ્રાની પહેલી પત્ની તેમનું ઘર તોડવા માટે શિલ્પાને જવાબદાર માને છે.

સૈફ અને અમૃતાના લગ્નનો કિસ્સો
સૈફ અલી ખાને ખુદ કરતાં 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે વર્ષ 1991માં છુપાઈને લગ્ન કર્યાં હતાં, પણ લગ્નનાં થોડાં વર્ષો પછી આ સંબંધ પણ તૂટી ગયો હતો. આ પછી સૈફની લાઇફમાં ઇટાલિયન મોડેલ રોઝા આવી ગઈ હતી, જેની સાથે સૈફનું ઘણાં વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. વર્ષ 2004માં સૈફ અલી ખાને અમૃતા સિંહને છૂટાછેડા આપ્યા અને વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.

રાજ કપૂરનાં પ્રેમનાં કિસ્સા
રાજ કપૂરે વર્ષ 1930માં કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. રાજ કપૂર અને નરગિસે અનેક હિટ ફિલ્મોમાં આપી અને પછી 1940થી 1950 સુધી તેમના અફેરની ચર્ચા ખૂબ જ થતી હતી. જો કે, રાજ કપૂર તેમની પત્નીને છોડવા માટે તૈયાર નહોતાં એટલાં માટે તેમણે નરગિસ સાથે સંબંધ પૂરો કરી દીધો હતો. આ પછી રાજ કપૂરની લાઇફમાં વૈજયંતીમાલાની એન્ટ્રી થઈ અને બંનેના અફેરની ચર્ચા સાંભળી રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ ખૂબ જ હેરાન થઈ ગઈ અને બાળકો સાથે હોટેલમાં રહેવા જતી રહી હતી. કહેવામાં આવે છે કે, રાજ કપૂરની પત્ની કૃષ્ણાને મનાવવા માટે અને હોટેલથી ઘરે લાવવા ખુદ વૈજયંતીમાલા ગઈ હતી અને આ પછી આ કહાનીનો અંત આવ્યો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page