Only Gujarat

Bollywood FEATURED

વેલેન્ટાઈન ડે પહેલાં જેઠાલાલ પર રોષે ભરાઈ બબીતાજી, ફેંકી દીધા ફૂલો

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સૌથી વધુ જોવાતી અને પોપ્યુલર સિરિયલ છે. આ સિરિયલ છેલ્લાં ઘણાં વર્ષથી લોકોનું મનોરંજન કરાવે છે. દર્શકોને હસાવનારી આ સિરિયલના દરેક કલાકાર ખૂબ જ ફૅમશ પણ છે અને તે હંમેશા ચર્ચામાં જ રહે છે. સિરિયલમાં જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી દર્શકો ખાસ પસંદ છે, પણ આ વખતે એવું શું થયું કે, બબીતા જી જેઠાલાલ પર ખૂબ જ ગુસ્સે થઈ અને ના કહેવાનું કહી દીધું.

તારક મહેતા કા ઉલટા ચશ્માના અપકમિંગ એપિસોડામાં જોવા મળશે કે, બબીતા જી અને જેઠાલાલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થશે. બબીતા જી ગુસ્સામાં જેઠાલાલને જેમતેમ કહી દેશે અને ગુલદસ્તો તેમના મોઢા પર મારીને જતી રહેશે.

આ પછી જેઠાલાલ બબીતા પાસે માફી માગે છે, પણ બબીતાનો ગુસ્સો ઓછો થતો નથી. જેઠાલાલ અને બબીતા વચ્ચે ઝઘડાનું કારણ બંનેના સંબંધની જેમ અનોખું છે. જેને જોવા દર્શક ઉત્સુકતાથી રાહ જોવે છે. આ ઝઘડા પાછળનું કારન હેરાન કરવારું છે.

સિરિયલમાં બબીતા જી અને અય્યરને ઇમરજન્સીમાં કેટલીક દવાની જરૂર હોય છે. આ માટે તે જેઠાલાલની મદદ માગે છે, પણ જેઠાલાલ સમયસર દવા પહોંચાડી શકતાં નથી. જેને લીધે બબીતા જીને ગુસ્સો આવે છે. તેમને એટલો ગુસ્સો આવે છે કે, તે જેઠાલાલને ઘરની બહાર નીકળી જવા માટે કહે છે.

બબીતા જી આ પછી જેઠાલાલને કહે છે કે, ‘તેમને આ દવાની સમયસર જરૂર હતી.’ બબીતાજીનો આટલો ગુસ્સો પહેલા ક્યારેય જોવા મળ્યો નહોતો. જેઠાલાલ બબીતા જીને મનાવવા માટે ગુલદસ્તો લઈને જાય છે, પણ ગુલદસ્તો બહાર ફેંકી દે છે. હવે દર્શકો આ એપિસોડની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે કે, જેઠાલાલ કેવી રીતે બબીતા જીનો ગુસ્સો શાંત કરે છે. તે જવું રસપ્રદ રહેશે.

You cannot copy content of this page