લોકડાઉન દરમિયાન દરરોજ હ્રદયકંપાવતી ઘટના સામે આવી રહી છે. છત્તીસગઢમાં આવી જ એક દુઃખદ તસવીર સામે આવી. અહીં પુત્ર ન હોવાને કારણે ચાર દીકરીએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી મુખાગ્નિ આપી પુત્રની ફરજ નીભાવી હતી. જ્યારે દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા તો ગામના લોકોની આંખમાં આંસુ છલકાયા હતા.
આ માર્મિક ઘટના 24 એપ્રિલે કવર્ધા જિલ્લાના કોસમંદા ગામમાં જોવા મળી. અહીં 51 વર્ષના કામતા પ્રસાદ સાહુનું બીમારીને કારણે નિધન થઇ ગયું. ત્યારબાદ ચાર દીકરી પિતાની અર્થીને કાંધ આપી સ્મશાન પહોંચી અને મુખાગ્ની પણ આપી હતી.
મૃતક પિતાની અંતિમ ઇચ્છા હતી કે તેની ચારેય દીકરી જ્યોતિ, જયા, શ્રદ્ધા અને સુમન જ તેના અંતિમ સંસ્કાર કરે.
પિતાની અંતિમ ઇચ્છા એ હતી કે તેની મોટી દીકરી જ્યોતિ તેને મુખાગ્ની આપી અંતિમ સંસ્કારની વિધિ કરશે.
મૃતક કામતા પ્રસાદ પાટેશ્વર સેવા સંસ્થાનમાં સચિવ પદે કાર્યરત હતા. મૃતકના નિધન પર અનેક લોકોએ વીડિયો કોન્ફરેન્સિંગ કરી શોક વ્યક્ત કર્યો હતો. તો સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.