ઈન્ડિયન આર્મીએ મંગળવાર 28 એપ્રિલે પુલવામાના લારો કાકાપોરા વિસ્તારમાં એક આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવામાં સફળતા મળી. આતંકીઓએ એક ઘરને પોતાનો અડ્ડો બનાવી રાખ્યો હતો. ઘરમાં અનેક એવા ગુપ્ત અડ્ડા હતા જે કોઇના ધ્યાને આવી શકે તેમ ન હતા. પરંતુ સેનાના જવાનોની ચપળતા આગળ આતંકીઓના ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ થઇ ગયો.
આતંકીઓએ આ દિવાલ પાછળ છૂપાવા માટેની જગ્યા બનાવી રાખી હતી.
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે આતંકીઓએ ખુબ જ ઉંડો ભુમિગત અડ્ડો બનાવી રાખ્યો હતો. અવાર નવાર આતંકી આવી રીતે અડ્ડા બનાવવા માટે ટોયલેટ સીટનો ઉપયોગ કરતા હતા.
પુલવામાના લારો કાકાપોરા વિસ્તારના આ ઘરમાં આતંકી અડ્ડો મળી આવ્યો, જેને જવાનોએ ધ્વસ્ત કરી દીધો.
આ તસવીર 24 એપ્રિલ 2020ની છે. ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સે જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે મળી ડોડા જિલ્લામાં આ આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યું. આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા અને હથિયાર મળી આવ્યા હતા.
આતંકી ઠેકાણામાંથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોલા-બારુદ મળ્યા હતા. 25 એપ્રિલે અવંતીપોરાના ગોરિપોરામાં માર્યા ગયેલા આતંકી સફરજનના બગીચામાં જમીન નીચે બનાવવામાં આવેલા 10/10 ફૂટના ખાડાનો ઉપયોગ કરતાં હતા. જેમાંથી ખાવા-પીવાના સામાનની સાથે અન્ય જરૂરિયાતની વસ્તુઓ હતી. આતંકીઓએ ઓક્સિજન માટે એક નળી પણ લગાવી હતી.
સૂત્રોનું કહેવું છે કે જ્યારે અથડામણ થઇ ત્યારે આતંકવાદીઓ આ ગુપ્ત ખાડામાં જ હતા અને તેના મદદગાર તેઓને ખાવાનું મોકલી રહ્યાં હતા.