ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જમીન વિવાદને લઇને સગા ભાઇએ જ પોતાના નાના ભાઇની હત્યાનો પ્લાન તૈયાર કર્યો. ત્યારબાદ મોટાભાઇ, ભાભી અને બહેને પણ આ ખતરનાક કામમાં સાથ આપ્યો અને હત્યાને અંજામ આપ્યો. એટલું જ નહીં હત્યાની વારદાતને અંજામ આપ્યા બાદ ત્રણ આરોપીઓએ તેના મૃતદેહને ફેંકી દીધો. જો કે પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
એસપી નોર્થ અરવિંદ પાંડેયના જણાવ્યા પ્રમાણે રાજકુમાર સિંહ મુંબઇમાં પરિવારની સાથે રહી વ્યવસાય કરતા હતા. તેમના છ ભાઇ અને ત્રણ બહેન હતી. રાજકુમાર સિંહની ભાભી કુસુમલતા સિંહે પોતાની મુંબઇ સ્થિત અડધી જમીન આપી દેવર ત્રિલોકી સિંહને આપી દીધી હતી. જ્યારે અડધી જમીન વિજય સિંહને આપવાનું કહ્યું હતું. પરંતુ જમીનના અડધા ભાગ તેઓએ રાજકુમાર સિંહને આપી દીધો હતો. આ વાતને લઇને વિજય સિંહ પોતાના ભાઇ રાજકુમારથી નારાજ હતો.
લોકડાઉનમાં રાજઘાટ થાના વિસ્તારના નોર્મલ સ્થિત પોતાના સાસરિયાના પરિવારજનો સાથે રાજકુમાર આવ્યો. વિજય સિંહે 10 જુને દગો કરી રાજકુમારને પોતાના નોર્મલ સ્થિત આવાસ પર બોલાવ્યો હતો. જ્યાં મુંબઇની પ્રોપર્ટીને લઇને વિજય સિંહ, તેની પત્ની અને બહેનની સાથે ઘટનાસ્થળે એકત્રિત થયેલા સંબંધીઓએ પંચાયત દરમિયાન રાજકુમાર પર જમીન વિજય સિંહને આપવાનું દબાણ કર્યું હતું.
પંચાયત દરમિયાન રાજકુમાર પોતાની જમીન આપવા માટે રાજી થયો નહીં અને ઘટના સ્થળે જ વિવાદ દરમિયાન વિજય સિંહે પોતાની પત્ની અને બહેન સાથે મળી રાજકુમારની હત્યા કરી દીધી.
એટલું જ નહીં રાજકુમારના મૃતદેહને નૌસઢ સ્થિત એકલા બાંધ પાસે ફેંકી દીધો. આ મામલે મૃતક રાજકુમાર સિંહની પત્ની મમતા સિંહે પતિના ભાઇ-બહેન સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો.