Only Gujarat

FEATURED International

કોરોનાનો ચેપ એકવાર લાગશે તો આખી જિંદગી આ દર્દોની સાથે જ જીવવું પડશે!

એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓમાં દર ત્રણમાંથી એક દર્દીમાં જીંદગીભર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને લાંબો સમય સુધી તેમના ફેફસાંને નુકસાન પણ થઈ શકે છે. બ્રિટીશ અખબારે ઈંગ્લેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસના ગાઈડન્સનો રિપોર્ટ આપીને આ વાત પ્રકાશિત કરી છે.

બ્રિટનનાં નેશનલ હેલ્થ સર્વિસનાં ગાઈડન્સમાં કહેવામાં આવ્યુ છેકે, કોરોનામાંથી સ્વસ્થ થનારા 30 ટકા દર્દીઓનાં ફેંફસામાં ક્ષતિ પહોંચી શકે છે. તેમને સતત થાકનો અનુભવ અને માનસિક તકલીફો થઈ શકે છે. જ્યારે ICUમાં સારવાર બાદ સ્વસ્થ થયેલાં દર્દીઓમાંથી અડધા લોકોને લાંબા સમય સુધી આ સમસ્યા રહી શકે છે.

હેલ્થ એક્સપર્ટનું એ પણ કહેવું છે કે આ વાતની સતત સાબિતી મળી રહી છે કે કોરોનાથી શરીરની સ્થાયી સમસ્યાઓ થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાથી બીમાર થયા પછી સાજા થનારા લોકોના મગજમાં નુકસાન પહોંચી શકે છે. અને અલજાઈમરનો ભય પેદા થઈ શકે છે.

એનએચએસનાં કોવિડ રિકવરી સેંટરનાં પ્રમુખ હિલેરી ફ્લોયડનું કહેવું છેકે,તેણે આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છેકે, કોરોનાથી લાંબા સમય સુધી થતી અસર વિશે આપણી પાસે બહુજ ઓછી માહિતી છે. ઘણા દર્દીઓને કોરોના નેગેટીવ આવ્યા બાદ પણ ઈલાજની જરૂર પડે છે.

હિલેરીએ કહ્યું કે, તેમના 40થી 50 વર્ષના કેટલાય દર્દીઓ જે સાજા થઈ ચૂક્યા છે. જેઓ હવે કેટલીય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ લોકો પહેલા બધું પોતાની જાતે કરતા હતા. જીમ, સ્વિમિંગ, બિઝનેસ વગેરે. પરંતુ હવે કોરોના નેગેટિવ થયા પછી પણ તે પોતાની પથારીમાંથી ઊભા નથી થઈ શકતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page