Only Gujarat

FEATURED National

પત્નીની સળગી રહેલી ચિતામાં પતીએ લગાવી છલાંગ પછી જે થયું તે જાણી ચોંકી જશો

ત્રણ મહિનાની ગર્ભવતી પત્નીએ કૂવામાં છલાંગ લગાવીને જીવ આપી દીધો તો ગમગીન પતિ પત્નિની બળતી ચિતામાં ઘૂસી ગયો હતો. જ્યારે લોકોએ તેને ચિતાથી બહાર કાઢ્યો તો તેણે પણ કુવામાં કૂદીને જીવ આપી દીધો. ચોંકાવનારી આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાની છે.

ચંદ્રપુરના ગોંડપિપરી જિલ્લાના ભંગારામ તળોધી ગામમાં આ હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટનાથી બધા આઘાતમાં સરી ગયા છે. ત્રણ મહિનાની ગર્ભવતી પત્નીએ કૂવામાં કુદીને આત્મહત્યા કરી તો પોતાની પત્ની અને પેટમાં ઉછરી રહેલા બાળકના મોતના આઘાતમાં પતિએ પત્નિની ચીતા પર જ છલાંગ લગાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે પતિ કિશોર પત્નિ રુચિતાથી ખૂબજ પ્રેમ કરતો હતો. અને તે પોતાની પત્નીના મોતનો આઘાત સહન ના કરી શક્યો.

વાસ્તવમાં 20 વર્ષની રૂચિતા ચિદ્દાવરના લગ્ન લોકડાઉન પહેલા 19 માર્ચે ચંદ્રપુરના 25 વર્ષના કિશોર ખટીક સાથે થયા હતા. કિશોર ચંદ્રપુરના આરટીઓ ઓફિસમાં વાહનચાલક પ્રશિક્ષણ કેન્દ્રમાં અસ્થાઈ રીતે કાર્ય કરતો હતો. લ્ગન પછી રૂચિતા ત્રણ મહિનાની ગર્ભવતી થઈ હતી. અને ચાર દિવસ પહેલા જ તે પોતાના પિયર ભંગારામ તળોધી આવી હતી.

ત્રણ મહિનાની ગર્ભવતી રુચિતા રવિવારે ગામની બહાર શૌચ કરવા ગઈ હતી. પરંતુ સમય વિતવા છતાં ઘરે પરત ન આવતાં ઘરવાળા તેને શોધવા નિકળ્યા હતા. ગામની બહાર એક કુવા પાસે તેની ચપ્પલ અને કેટલોક સામાન જોવા મળ્યો. પરિવારવાળાને શક થયો કે ક્યાંક રૂચિતાએ કુવામાં કુદીને આત્મહત્યા તો નથી કરી લીધીને. એટલા માટે આ ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી.

પોલિસે તપાસ કરી તો રૂચિતાની બોડી કૂવામાંથી મળી. ગામવાળાઓની મદદથી પોલિસે બોડી કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ચંદ્રપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી. તે પછી પોલિસ તપાસમાં લાગી ગઈ કે આખરે રૂચિતાએ આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે. ?

પોસ્ટમોર્ટમ પછી સોમવારે 22 જૂનના ભંગારામ તળોધી ગામના સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરી જ્યારે બધા લોકો પાછા વળવા લાગ્યા ત્યારે અચાનક રૂચિતાના પતિ કિશોર ખટીક દોડીને બળતી ચિતા પર છલાંગ લગાવી દીધી.

કિશોરની આ હરકતથી ત્યાં હાજર પરિવારજનો એ બળતી ચિતા પરથી કિશોરને બહાર નિકાળ્યો. આ વચ્ચે કિશોર કેટલાક ભાગે બળી ગયો હતો. છતાં કિશોરે પોતાને લોકોથી છોડાવીને નજીકના કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો.

રુંવાટા ઊભા કરી દે તેવી આ ઘટના પછી પોલિસ પણ હેરાન રહી ગઈ છે કે અત્યાર સુધી રૂચિતાની આત્મહત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. અને તેના પતિએ પણ આત્મહત્યા કરી લીધી છે. હાલમાં ગોંડપિપરી પોલિસ સંદિપ ધોબેએ પરિવારના લોકોની પૂછપરછ કરી રુચિતાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page