જો તમારી કુંડળીમાં બને છે આ અશુભ યોગ તો જીવન થઈ જશે વેરણ-છેરણ, જાણો નિવારણના ઉપાયો
અમદાવાદઃ ગ્રહોની યુતિ કુંડળીમાં યોગનું નિર્માણ કરે છે. આ યોગ સકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકારના હોય છે. નકારાત્મક યોગને કુંડળી દોષ તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે કુંડળીમાં સર્જાતા પાંચ યોગ અંગે વાત કરીશું, જેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. આ સાથે જ અમે જ્યોતિષી ઉપાય બતાવીશું.
ચાંડાલ યોગઃ જો કોઈ જાતકની કુંડળીમાં ગુરુની સાથે રાહુ હોય તો બંનેની યુતિથી કુંડળીમાં ચાંડાલ યોગ બને છે. ચાંડાલ યોગ સર્જાતા વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પ્રભાવથી દેવામાં સતત વધારો થાય છે. આ યોગની શાંતિ માટે ગુરુની શાંતિના ઉપાય કરવા જોઈએ. ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ષડ્યંત્ર યોગઃ લગ્નભાવના સ્વામી જો અષ્ટમ ભાવમાં કોઈ શુભ ગ્રહ ના હોય તો કુંડળીમાં ષડ્યંત્ર યોગનું નિર્માણ થાય છે. જે જાતકની કુંડળીમાં આ યોગ સર્જાય છે, તેનાથી ધન સંપત્તિ નષ્ટ થવાની આશંકા રહે છે. આ યોગને કારણે અનેક વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. આ યોગથી બચવા માટે ભગવાન શિવની આરાધના કરવી.
કેમદ્રુમ યોગઃ જ્યારે કુંડળીમાં ચંદ્રમા કોઈ સ્થાનમાં એકલા હોય તો અને એની આગળ એટલે કે બીજા અને પાછળ એટલે કે 12મા સ્થાને કોઈ ગ્રહ ના હોય અને ના તેના પર કોઈ ગ્રહની દૃષ્ટિ હોય તો આ પરિસ્થિતિમાં કેમદ્રુમ યોગ સર્જાય છે. આ યોગ જે જાતકની કુંડળીમાં સર્જાય તેમને મુશ્કેલીઓ આવે છે. આ યોગને દૂર કરવા માટે ચંદ્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ગ્રહણ યોગઃ કોઈ ભાવમાં ચંદ્રમાની સાથે રાહુ-કેતુ હોય તો આ સ્થિતિ કુંડળીમાં ગ્રહણ યોગ બને છે. આ યોગને કારણે જીવનમાં અસ્થિરતા આવે છે. વ્યક્તિ નોકરી-વેપારમાં અસ્થિરતાને કારણે મુશ્કેલી આવતી રહે છે. આ અશુભ યોગના નિવારણ માટે જાતકોએ ચંદ્રના શાંતિ ઉપાય કરવા જોઈએ.
અલ્પાયુ યોગઃ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા પાપી કે ક્રૂર ગ્રહની સાથે ત્રિક સ્થાન (છઠ્ઠા, આઠમા તથા બારમા) પર બેઠો હોય તો આ સ્થિતિ કુંડળીમાં અલ્પાયુ યોગનું નિર્માણ કરે છે. આ જાતકો પર હંમેશાં મોતનું જોખમ તોડાતું રહે છે. આથી આ દોષથી બચવા માટે જાતકોએ મહામૃત્યુંજય મંત્ર જાપ કરવો જોઈએ.