Only Gujarat

National TOP STORIES

મંગેતરે એવું તો શું કર્યુ કે યુવતી આવી ગઈ તણાવમાં, હાથમાં તુલસીનો છોડ લઈને રૂમમાં ગઈ અને…

જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોની ઉત્સુક્તા વધતી જાય છે. પરંતુ મધ્યપ્રદેશના ઇંદોરમાં એક એવી દુઃખદ ઘટના સામે આવી જેના કારણે લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ છે. અહીં એક યુવતીએ પોતાની સગાઇના એક દિવસ બાદ જ આપઘાત કરી દુનિયાને અલવીદા કરી દીધી. આપઘાત કર્યા પહેલા તેણીએ એક ઇમોશનલ સુસાઇડ નોટ પણ લખી જે વાંચી તેના પરિવારજનો અને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ દર્દનાક પગલુ ઉઠાવનારી યુવતીનું નામ પ્રીતિ નિર્મલ છે અને તે અશોક નગરમાં રહેતી હતી. પ્રીતિએ સુસાઇડ નોટમાં લખ્યું કે ”હું મારી મરજીથી મરવા માગું છું, કારણ કે જીવન ખુબ જ ખરાબ છે. હવે મારે જીવવું નથી. ડોન્ટ ટ્રસ્ટ એની વન. પપ્પા પ્લીઝ મને માફ કરી દેજો હું તમારું દિલ દુભાવીને જાવ છું. મેં તમારા ઘણા પૈસા મારા પર ખર્ચ કરાવ્યા આથી મને માફ કરી દેજો”

ઘટનાની તપાસ કરી રહેલા થાનેદાર અશોક પાટીદારે જણાવ્યું કે પ્રીતિની સગાઇ રવિવારે 9 જુને ઇંદોરમાં રહેતા પવન મુર્રમકર સાથે થઇ હતી. બંનેના લગ્ન આ મહિને જ 26 જુને થવાના હતા. પરંતુ આ પહેલા જ પ્રીતિએ આત્મહત્યા કરી લીધી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. મૃતકનો ફોન ચેક કરવામાં આવી રહ્યો છે. સાથે જ મંગેતરની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

તો આ મામલે મૃતક પ્રીતિના મંગેતર પવનનું કહેવું છે કે હું પ્રીતિ સાથે મેટ્રિમોનિયલ સાઇટની મદદથી મળ્યો હતો. ત્રણ મહિના પહેલા અમારી મુલાકાત થઇ હતી અમે મિત્ર બન્યા બાદ એક-બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પછી બંનેએ પોતાના પરિવારજનોને કહી લગ્ન કરવાની મંજુરી લીધી હતી.

મંગેતર પવને જણાવ્યું કે પ્રીતિ કુંડળી પ્રમાણે માંગલીક હતી આથી અમારા પંડિતજીએ કહ્યું હતું કે લગ્ન બાદ બંનેમાંથી કોઇ એકના જીવનને ખતરો છે. આથી અમે પુજા પણ કરાવી હતી. પરંતુ યુવતીના પરિવારજનો અમારા લગ્ન 26 જુને કરાવવા ઇચ્છતા હતા. આ માટે અમે રાજી ન હતા કારણ કે મારી બહેન ગર્ભવતી હતી અને તે આ લગ્નમાં સામેલ થઇ શકે તેમ ન હતી. એવામાં મેં લગ્ન દેવઉઠની ગ્યારસ બાદ કરવાનું કહ્યું હતું. પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. આ માટે મેં પ્રીતિને પણ સમજાવી પરંતુ તે ન માની અને તે તણાવમાં આવી ગઇ. તેણીએ કહ્યું હતું કે મારા પરિવારજનો આ માટે રાજી થશે નહીં.

તો મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પવનની માતા અને બહેનને ફોન કરી કહ્યું કે અમે અત્યારે આ લગ્ન કરી શકીએ તેમ નથી. ગ્યારસ બાદ જ કરીશું. આ સાંભળી અમારી દીકરી ટેન્શનમાં આવી ગઇ હતી. તે સોમવારના દિવસે સવારે ઉઠી અને એક તુલસીનો છોડ લઇને આવી. કહેવા લાગી કે મમ્મી હવે હું રોજ તુલસી માતાની પુજા કરીશ. આટલું કહી તે પોતાના રૂમમાં જતી રહી અને 10 મિનિટ બાદ તેણીએ ફાંસી લગાવી પોતાનો જીવ આપી દીધો.

પોતાના જન્મ દિવસે પોતાની બહેનપણી સાથે કેક કાપી રહેલી પ્રીતિ નિર્મલ.

થોડા દિવસ પહેલા તેણીએ પોતાની બહેન અને સંબંધીઓ સાથે સેલ્ફી ખેંચી હતી. આ ફોટો જોઇ કોઇ ન કહી શકે કે આટલી ખુશ રહેતી પ્રીતિ એક દિવસ આપઘાત કરી લેશે.

પોતાની કોલેજના મિત્રો અને કંપનીમાં સાથે કામ કરતી બહેનપણીઓ સાથે પ્રીતિ.

You cannot copy content of this page