Only Gujarat

Bollywood

TVના આ જાણીતા કપલ્સ લિવ ઈનમાં રહ્યાં ને પછી રાતોરાત બન્યું એવું કે થઈ ગયા એકદમ અલગ

મુંબઈઃ આજના સમયમાં લિવ ઇન રિલેશન સામાન્ય વાત છે. ભારતીય કાયદો પણ લિવ ઇન રિલેશનની મંજૂરી આપે છે. એવું માનવામાં આવે છે કે, લિવ ઇન રિલેશનમાં રહ્યાં પછી કપલ એકબીજાને સારી રીતે ઓળખી અને સમજી શકે છે પણ, ઘણીવાર લિવ ઇનમાં રહ્યાં પછી સંબંધો તૂટી જાય છે. આવું જ કંઈક ટીવી સેલેબ્સ સાથે પણ થયું, જે પોતાના પ્રેમને લીધે લિવ ઇનમાં રહ્યા પણ તેમનો સંબંધ આગળ વધી શક્યો નહીં. ઘણાં સેલેબ્સ એવા પણ છે જેમને શૂટિંગ દરમિયાન પ્રેમ થયો અને સંબંધ એટલો આગળ વધી ગયો કે, તેઓ લિવ ઇનમાં રહેવા લાગ્યા, પછી પોતાના રસ્તા અલગ કરી લીધાં.

આશા નેગી અને રિત્વિક ધનજાની
સૌથી પહેલાં વાત કરીએ ટીવીના પોપ્યુલર કપલ આશા નેગી અને રિત્વિક ધનજાનીની. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા અને બંને ઘણાં સમયથી લિવ ઇન રિલેશનમાં રહેતાં હતાં. કહેવામાં આવે છે કે, બંને જલદી લગ્ન કરવાના છે, પણ થોડા મહિના પહેલાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

કરણ કુંદ્રા અને અનુષા દાંડેકર
ટેલીવિઝન પર કરણ અને અનુષા એક આઇડલ કપલ કહેવાતા હતા. બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં અને ઘણો સમય લિવ ઇન રિલેશનમાં સાથે રહ્યાં હતા, થોડાં સમય પહેલાં બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કરણ અને અનુષા એમ ટીવીના શો ‘લવ સ્કૂલ’માં સાથે હતાં.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ
કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ ટીવીની સૌથી સારી જોડીઓમાંથી એક છે. વર્ષ 2014માં બંનેએ બિગબોસની સિઝન 8માં જોવા મળ્યા હતાં. બિગબોસ પછી બંનેએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’માં પણ પાર્ટિસિપેટ કર્યું હતું. ‘નચ બલિયે’ દરમિયાન ઉપેને કરિશ્માને સગાઈની વીંટી પહેરાવી હતી, પણ સગાઈના 2 વર્ષ પછી ઉપેન અને કરિશ્માનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લિવ ઇન રિલેશનમાં રહી ચૂક્યા છે. બંને ટીવીની સુપરહિટ સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કરતાં હતાં. આ સિરિયલમાં કામ કરતાં-કરતાં બંને એકબીજાની નજીક આવી ગયાં હતાં અને લિવ ઇન રિલેશનમાં સાથે રહેવા લાગ્યા હતાં, પણ વર્ષ 2016માં સુશાંત-અંકિતા એકબીજાથી અલગ થઈ ગયાં હતાં.

રશ્મિ દેસાઈ અને અરહાન ખાન
એક્ટ્રસ રશ્મિ દેસાઈ ઘરવાળાની વિરુદ્ધ અરહાન ખાન સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. બિગ બોસ 13માં રશ્મિએ શૉ દરમિયાન અરહાન સાથે બ્રેકઅપ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્રેકઅપ પહેલાં ઘણાં સમયથી બંને લિવ ઇન રિલેશનમાં રહી ચૂક્યા છે.

આરતી સિંહ અને અયાજ ખાન
બિગ બોસના ઘરમાં ઘણાં સંબંધ થયા અને બગડ્યાં છે. તેમાંથી એક છે આરતી અને અયાજનો સંબંધ. આરતી સિંહ અને અયાજ ખાન એક બીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંને સાથે રહેતાં હતાં, પણ આરતીનો ધર્મ અલગ હોવાને લીધે અયાજની માતાએ તેને સ્વીકારી નહીં, આ પછી બંને લોકો અલગ થઈ ગયાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page