મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને એક્ટ્રેસ કાજોલની દીકરી ન્યાસા સોશિયલ મીડિયા પર વારંવાર કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. ક્યારેક સોશિયલ મીડિયા પર ન્યાસાના વખાણ થાય છે તો ક્યારેક તેને ટ્રોલ કરવામાં આવે છે. એવામાં ન્યાસાને ટ્રોલ કરવા પર કાજોલે જવાબ આપ્યો છે.
વાસ્તવમાં સ્ટારકીડ અનેકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઘણીવાર તેના ફાયદા પણ હોય છે અને ક્યારેક નુકસાન પર ઉઠાવવું પડે છે. જ્યારે અજય અને કાજોલની દીકરી ન્યાસા વારંવાર ટ્રોલિંગનો શિકાર બને છે. આ પાછળનું કારણ ક્યારેક આઉટફિટ્સ તો ક્યારેક લુક્સ હોય છે.
એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યુ કે, આ ખૂબ ભયાનક છે. મને લાગે છે કે એક માતાપિતા તરીકે જો તમારા બાળકને નાની ખરોંચ આવે છે તો તમે પરેશાન થઇ જાવ છો કારણ કે તમે તમારા બાળકને પ્રેમ કરો છો. અને તેને તમામ પરેશાનીથી બચાવવા માંગો છો.
કાજોલે કહ્યું કે, એવામાં જ્યારે પણ ન્યાસાને ટ્રોલ કરવામાં આવે છે તો માતાપિતા હોવાના કારણે હું ખૂબ ફીલ કરું છું. ભગવાનનો આભાર કે ન્યાસા તે સમયે અહી નહોતી જ્યારે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. તે સમયે સિંગાપોરમાં હતી જેથી તેને ખ્યાલ નહોતો કે શું થઇ રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયા તમામ જગ્યાએ હોય છે.
કાજોલે કહ્યુ કે, હું હંમેશા બાળકોને શીખવું છું કે ટ્રોલિંગ સમાજનો એક નાનો હિસ્સો છે અને તેને ઇગ્નોર કરી આગળ વધવું જોઇએ. કોઇ વાતને લઇને એ જરૂરી છે કે તમે એ ચીજને કઇ રીતે જોવો છો. એવામાં હું ટ્રોલિંગ પર કાંઇ ખાસ આપતી નથી.