મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના કુક અશોકે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, ‘યૂરોપથી રિયા અને તેમના ભાઈ શોવિકા પાછા આવ્યા પછી સુશાંતની તબિયત વધારે બગડી હતી.’ પહેલીવાર તે જાણકારી સામે આવી છે કે, ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં રહેતી વખતે ઓક્ટોબર 2019માં જ્યારે, સુશાંત, રિયા અને શોવુકા વેકેશનમાં ગયા ત્યારે શું થયું હતું?
રિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બંને વેકેશનમાં દરમિયાન ફ્લોરેન્સમાં ગયાં હતા ત્યારે તેમને પહેલીવાર જાણ થઈ કે સુશાંત માનસિક બીમારીથી ઝઝૂમી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ જણાવ્યું હતું કે, ‘ટ્રિપ દરમિયાન 600 જૂની હેરિટેજ હોટેલમાં રોકાયા હતાં. હોટેલના રૂમ ખૂબ જ મોટાં હતા અને દીવાલો પર જૂના પેઇન્ટિંગ પણ લગાવેલા હતા.’
જેમાંથી એક પેઇન્ટિંગમાં સૈટર્નના બાળકને રાખવામાં આવ્યા હતા. રિયા તેમના ભાઈ સાથે બીજા રૂમમાં હતી, પણ જ્યારે તે પાછી આવી ત્યારે તેણે જોયું કે સુશાંત રુદ્રાક્ષની માળા સાથે કેટલાક મંત્ર બોલી રહ્યો છે અને આ દરમિયાન તે અલગ જ દેખાઈ રહ્યો હતો.
જ્યારે રિયાએ સુશાંતને પૂછ્યું કે , ‘શું થયું? .તો તેમણે કહ્યું કે, તે પેઇન્ટિંગના કેરેક્ટરને જોઈ શકતો નથી અને વધારે વિસ્તારથી જણાવ્યું નહીં. તે રાતે રિયા અને તેમનો ભાઈ સુશાંતના જ રૂમમાં સૂતા હતાં.’
સુશાંતને પેઇન્ટિંગને લીધે વિચિત્ર વસ્તુઓ દેખાવા લાગતી હતી અને રિયા ગમે તેમ કરી હિંમત આપતી રહી કે, આ માત્ર તેનો ભ્રમ છે. આ પછી રિયા અને સુશાંત શોવિકની સાથે ત્યાંથી ઓસ્ટ્રિયામાં ડિટોક્સિફિકેશન સેન્ટર જતાં રહ્યાં, કેમ કે તેને સારું લાગતું નહોતું એટલા માટે તે ત્યાંથી જતાં રહ્યા હતાં.
રિયા મુજબ, બંનેએ 2 નવેમ્બરે પાછા આવવાના હતાં પણ, તેમણે 28 ઓક્ટોબરે પાછું આવવું પડ્યું હતું. રિયાના જણાવ્યા મુજબ પાછા આવતી વખતે સુશાંતની એનર્જી ખૂબ જ ઓછી હતી અને કલાકો સુધી ચૂપ રહ્યો હતો.
રિયાએ કહ્યું કે, પાછા આવતી વખતે સુશાંતની તબિયત ઝડપથી બગડવા લાગી અને તે ઘણીવાર ચીસ પાડવા લાગતો હતો. ઘણીવાર રડતો પણ હતો. જોકે, સુશાંત મેડિકલ હેલ્પ લઈ રહ્યા હતાં અને પોલીસ મુજબ તે બાયપોલર ડિસઓર્ડરની ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો.
રિયાએ જણાવ્યું કે, તે દરમિયાન તેમની સાથે જ રહી અને 8 જૂને સુશાંતે રિયાને કહ્યું કે, તેમને પાછું જતું રહેવું જોઈએ. આ તેને સ્વસ્થ થવામાં મદદ કરશે. આ દરમિયાન કેમ કે, રિયાની માનસિક સ્થિતિ પર ખૂબ જ ફરક પડ્યો હતો એટલા માચે પણ એક મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લીધી હતી.
પોતાના ઘરે પાછા આવ્યા પછી તે તેમના ઘરેથી ત્યાં સુધી બહાર ના નીકળી જ્યાં સુધી તેમણે 14 જૂને સુશાંતના નિધનના સમાચાર ના મળ્યા. 10 જૂને સુશાંતે શોવિકને મેસેજ કરી રિયાની તબિયત વિશે પૂછ્યું પણ હતું.