નવો વળાંક! શું સુશાંત સિંહ રાજપૂતને બ્લેકમેલ કરતી હતી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી?
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોતને લઈને પોલીસ તપાસ ચાલુ છે. પરંતુ મંગળવારે આ મામલે નવો વળાંક આવ્યો હતો. સુશાંતના પિતા કૃષ્ણા કિશોરસિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે સુશાંતને ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. રિયા સામે લખેલી એફઆઈઆર મુજબ સુશાંતના પિતાએ દસ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
સુશાંત સિંહ રાજપૂત ફિલ્મોમાં કામ કરવાનું છોડી દેવા માગતો હતો. તે કેરળના કુર્ગમાં શિફ્ટ થવા માંગતો હતો અને ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માંગતો હતો. પરંતુ રિયા ચક્રવર્તી આ વાતને સમર્થન આપ્યુ નહી. રિયાએ સુશાંતને કહ્યું કે તે મુંબઇથી શિફ્ટ થઈ શકશે નહીં.
જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ રાજપૂત મુંબઈ રહેવા માટે રાજી નહીં થાય, તો 6 જૂન, 2020ના રોજ, રિયાએ સુશાંતના ઘરેથી ભારે નકદ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ અને મેડિકલ રેકોર્ડ લીધાં. તે તેનું ઘર છોડીને ચાલી ગઈ હતી. રિયાએ સુશાંતનો નંબર પણ તેના ફોનમાં બ્લોક કરી દીધો હતો.
એકવાર સુશાંત સિંહ રાજપૂતે તેની બહેનને કહ્યું કે, રિયાએ તેના તમામ દસ્તાવેજો લીધા છે. અને તેણે મીડિયા સમક્ષ ખુલાસો કરવાની ધમકી આપી છે કે તે પાગલ થઈ ગયો છે અને કોઈ તેને કામ નહીં આપે.
2019માં રિયાને મળતા પહેલા સુશાંત કોઈ માનસિક બીમારીથી પીડાતો ન હતો. જોકે, રિયાને મળ્યા બાદ સુશાંત માનસિક રૂપથી પરેશાન કેમ થઈ ગયો. તે વાતની તપાસ થવી જોઈએ.
જો સુશાંતની કોઈ પ્રકારની માનસિક બિમારી માટે સારવાર કરવામાં આવી રહી હતી, તો પછી પરિવારના સભ્યોની કોઈ સંમતિ કેમ લેવામાં આવી ન હતી?
રિયા સારવાર દરમિયાન સુશાંતને તેના ઘરે લઈ ગઈ હતી. કારણ કે દવાના ઓવરડોઝને કારણે તેની તબિયત બગડી ગઈ હતી. પરંતુ રિયાએ બધાને કહ્યું કે સુશાંતને ડેન્ગ્યુ થયો છે.
રિયા સુશાંતને કોઈ પણ ફિલ્મ સાઇન કરવા દઈ રહી ન હતી. જ્યારે પણ કોઈ પ્રસ્તાવ આવે ત્યારે તે સુશાંતને ફિલ્મમાં તેને હિરોઇન તરીકે લેવાની ફરજ પાડતી હતી. આ જ શરતે સુશાંતે પ્રોજેક્ટને સ્વીકારે.
સુશાંતનો વિશ્વસનીય અને જૂનો સ્ટાફ રિયાએ બદલી નાખ્યો હતો. તેના બદલે, તેણે તેના જાણીતા લોકોને કામે રાખ્યા હતા. જેથી તે સુશાંતને દરેક રીતે મેનેજ કરી શકે.
ડિસેમ્બર 2019માં રિયાએ સુશાંતને પોતાનો મોબાઇલ નંબર બદલવા માટે દબાણ કર્યું હતુ. જેથી તે નિયમિત રીતે તેના પરિવાર અને નજીકના લોકો સાથે વાત કરી શકે નહીં. રિયા સુશાંતને પટનામાં તેના પરિવારને મળવા જવા પણ દેતી ન હતી.
વર્ષ 2019માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. પરંતુ એક મહિનામાં જ 15 કરોડ રૂપિયા એવાં ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા, જે સુશાંતના ખાતા સાથે લિંક પણ ન હતા. તેની તપાસ થવી જોઈએ કે રિયા અને તેના સાથીઓએ કેવી રીતે છેતરપિંડી કરીને તે નાણાં ઠેકાણે લગાવી દીધા હતા.
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષે 14 જૂને મુંબઈના પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ પર અનેક સવાલો ઉભા થયા હતા અને બોલિવૂડમાં નેપોટિઝમઅને જૂથવાદ અંગે પણ ચર્ચા થઈ હતી.
પોલીસ ઘણા મોટા ડાયરેક્ટરની પૂછપરછ પણ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા પર આક્ષેપો લગાવતા સમગ્ર મામલાની થિયરી બદલાઈ ગઈ છે.