Only Gujarat

Bollywood FEATURED

જયા બચ્ચન હોય કે ટ્વિંકલ ખન્ના, પતિની આ હરકતો નાછૂટકે કરી છે સહન

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જોકે, કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ લોકો પોતાના કામથી બહાર નીકળી રહ્યાં છે. કેટલાક સેલેબ્સ પોતાનું શૂટિંગ કરી રહ્યા છે. તો આ તરફ બોલિવૂડમાં છેલ્લાં અઠવાડિયામાં પાંચ સ્ટાર્સ કોરોના પોઝિટિવ આવ્યાં છે. એવામાં કેટલાક એવા બોલિવૂડ સ્ટાર્સ છે જેમનું જીવન ઘણું ઊતાર-ચઢાવવાળું રહ્યું છે. તેમણે પોતાનું લગ્ન જીવન બચાવવા ઘણાં સંભવ પ્રયત્ન કર્યાં અને અત્યારે સારું લગ્નજીવન જીવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ એક્ટ્રસે તેમના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને સંભાળ્યા અને પતિને સાચી દિશા પર લઈ આવી. જેમાં જયા બચ્ચન, ટ્વિન્કલ ખન્ના, કાજોલ, પૂનમ સિન્હા સુધીના નામ સામેલ છે.

અમિતાભ બચ્ચન અને રેખાનો પ્રેમનો કિસ્સા વિશે દરેક લોકોને ખબર હશે. આ મુશ્કેલ સમયમાં જયા બચ્ચને થોડી હિંમતથી પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાના લગ્નજીવનમાં આવેલાં તોફાનનો સામનો કર્યો. અંતે જયાના પ્રયત્ન સાર્થક થયાં અને અમિતાભનું એક્સ્ટ્રા મેરિટલ અફેર બંધ થયું. જોકે, તેમની જિંદગીમાં એક સમય એવો પમ આવ્યો હતો. જેમાં ગુસ્સામાં જયા ફિલ્મ ‘રામ બલરામ’ના સેટ પર પહોંચી ગઈ હતી અને તેમણે રેખાને લાફો મારી દીધો હતો.

શાહરૂખ ખાને ગૌરી ખાન સાથે લવ મેરેજ કર્યાં છે. તેમના લગ્નજીવનમાં ત્યારે મતભેદ થયો જ્યારે શાહરૂખ અને પ્રિયંકા ચોપરાનું નામ ચર્ચાયું. કહેવામાં આવે છે કે, ગૌરીના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચારોને લીધે ગૌરીએ તેના પતિને અલ્ટિમેટમ આપી દીધું. ગૌરીએ શાહરૂખને હંમેશા માટે પ્રિયંકા સાથે કામ નહીં કરવાનું કહી દીધું હતું.

શત્રુઘ્ન સિંહાનું લગ્ન પછી રીના રૉય સાથે અફેર હતું. આ બંનેના અફેરના કિસ્સા તે સમયે ખૂબ જ ચર્ચામાં હતાં. જો જલદી આ સંબંધનો અંત આવી ગયો અને શત્રુઘ્ન સિંન્હા તેમની પત્ની પૂનમ પાસે પાછા જતાં રહ્યાં હતાં.

અજય દેવગનનું ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ના સેટ પર સાથે કામ કરતાં-કરતાં કંગના રનૌત સાથે નામ જોડાયું હતું. રિપોર્ટ્સ મુજબ આ પછી કાજોલે પતિને બીજાવાર કંગના સાથે કામ કરવા ન કરવાની ધમકી આપી હતી.

અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આશિકમિજાજ સ્ટાર માનવામાં આવે છે. તેમના ઘણાં અફેર હતાં, પણ લગ્ન તેમણે ટ્વિન્કલ ખન્ના સાથે કર્યાં. લગ્ન પછી પણ તેમનું દિલ પ્રિયંકા ચોપરા પર આવી ગયું હતું. રિપોર્ટ મુજબ પ્રિયંકા અને અક્ષયના અફરની જાણ ટ્વિન્કલને થતાં જ તેમણે અક્ષયને કહી દીધું કે તે પ્રિયંકા સાથે બીજીવાર કામ કરે નહીં. એટલું જ નહીં એકવાર ટ્વિન્કલ ખન્ના ફિલ્મના સેટ પર પહોંચી ગઈ હતી અને પ્રિયંકા સાથે ઝઘડો કરવા પહોંચી ગઈ હતી. જોકે, બંનેની મુલાકાત થઈ નહોતી.

ગોવિંદાનું નામ પણ નીલમ સાથે જોડાયેલું હતું. તેમના અફેરના સમાચાર તે વખતે ખૂબ જ ચર્ચામાં હતાં. આશ્ચર્યની વાત છે કે, ગોવિંદાએ નીલમને પોતાના લગ્ન વિશે પણ કહ્યું નથી. તે સમયે તેમની પત્ની સુનીતાને પોતાના પતિ ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ સંબંધો વિશે ખબર પડી અને તેમને સમજદારીથી આખો મામલો પતાવ્યો હતો.

રાજ બબ્બરે નાદિરા સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. આ પછી સ્મિતા પાટિલ સાથે તેમનું અફેર શરૂ થયું હતું. તેમણે સ્મિતા સાથે લગ્ન કરવા માટે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા. જે સ્મિતા સાથે તેમનો સાથ લાંબા સમય સુધી રહ્યો નહીં. સ્મિતાના મોત પછી રાજ બબ્બર ખરાબ રીતે તૂટી ગયાં હતાં. આ સમયે તેમની પહેલી પત્નીએ તેમને સંભાળ્યાં હતાં. તે સમયે રાજ બબ્બર તેમની પહેલી પત્ની પાસે પાછા જતાં રહ્યાં હતાં.

આદિત્ય પંચોલીના લગ્ન જરીના વહાબ સાથે થયાં હતાં. લગ્ન પછી તેમનું દિલ કંગના રનૌત પર આવી ગયું હતું. કંગના સાથે આદિત્યના અફેરના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતાં. જ્યારે કંગનાએ વાર કરતાં આદિત્ય ઘેરાઈ ગયો અને જરીને તેમને સાથ આપતાં તે મુસીબતથી બચી ગયો.

રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી સૌથી ચર્ચિત છે. રાજ કપૂર, નરગિતને પ્રેમ કરતા હતાં. તેઓ પરિણીત હોવાથી આ સંબંધ આગળ વધ્યો નહીં. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. તે અરેન્જ મેરેજ હતાં. લગ્ન પછી રાજ કપૂરનું દિલ નરગિસ પર આવી ગયું હતું. પ્રેમ આગળ રાજ કપૂરે લગ્ન સંબંધ તોડ્યા નહીં.

You cannot copy content of this page