Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહની પૂર્વ મેનેજર દિશાના ડેશ કેસમાં આવ્યો નવો વળાંક, જાણો ક્લિક કરીને

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયન સુસાઇડ કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંત મૃત્યુ કેસના સંબંધમાં દિશાના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. દિશાના શરીરના ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેને બે ઇજાઓ થઈ હતી અને તેમાંની એક ઈજા બિલ્ડિંગમાંથી પડતાં પહેલાં એટલે કે મૃત્યુ પહેલા થઈ હતી.

દિશાએ 8 જૂને મલાડની એક બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ, 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના મુંબઇનાં ઘરે લટકતો મળી આવ્યો હતો.

ખાનગી મીડિયાના રિપોર્ટ પ્રમાણે દિશાના ફોરેન્સિક રિપોર્ટમાં બે ઇજાઓનો ઉલ્લેખ છે. આ કારણે હત્યા થઈ હોવાની સંભાવના છે. ખાનગી મીડિયાએ ફોરેન્સિક નિષ્ણાત ડો.દિનેશ રાવ સાથે વાત કરી હતી. રાવે આ ઈજાઓ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને નિર્માતા અને સુશાંતના સ્વઘોષિત મિત્ર સંદિપસિંહની પૂછપરછ કરવી જોઈએ.

રિપોર્ટ અનુસાર, એક ઈજા દિશાને ત્યારે વાગી હતી, જ્યારે તે ઉંચાઇએથી જમીન પર પડી હતી. ઇમારતથી નીચે પડતા પહેલા તેને એક ઇજા પહોંચી હતી. ડો.રાવે આ મામલે તપાસની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તપાસમાં જ બહાર આવશે કે દિશાનો મામલો પણ હત્યાનો છે.

બની શકે છે કે, તેને ટોર્ચર કરવામાં આવી હોય કે તેની સાથે મારપીટ કરવામં આવી હોય અથવા તો તેણે બચવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. અને આ બચવાનાં પ્રયાસમાં જ દિશાને ઈજા વાગી હોઈ શકે છે. પરંતુ તેને નજરઅંદાજ કરી શકાય નહી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page