Only Gujarat

Bollywood FEATURED

માતાને યાદ કરીને ધ્રૂસકે-ધ્રૂસકે રડવાં લાગ્યો હતો સુશાંત સિંહ રાજપૂતપછી…..

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતે સુસાઈડ કરતાં લોકો અને બોલિવૂડ સ્તબ્ધ છે. દરેક લોકો વિચારે છે કે, એક ઊભરતો સ્ટાર આવું કેવી રીતે કરી શકે? ઉલ્લેખનીય છે કે, સુશાંતે રવિવાર 14 જૂને મુંબઈ સ્થિત બાંદ્રામાં તેમના ઘરે ગળેફાંસો ખાધો હતો. આ પછી તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતાં. અત્યારે સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપુતનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે એક રિઆલિટી શૉમાં તેમની માને યાદ કરી ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી તેમના ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુત માટે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપુતનાં ફેન્સ તેમની દરિયાદીલી, ખુશમિજાજ અંદાજ અને ફિલ્મો માટે યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા ફોટો અને વીડિયો વચ્ચે એક જૂનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તેઓ ડાન્સ રિઆલિટી શૉ ‘ઝલક દિખલાજા’નો ભાગ હતાં.

સુશાંત સિંહ રાજપુતને તેમના એક દમદાર પર્ફોમન્સ પછી તેમની માતા યાદ આવી ગઈ હતી જેથી તેઓ તેમના આંસુઓને રોકી શક્યા નહોતાં. એવામાં શૉના જજ માધુરી દીક્ષિતે તેમને દિલાસો આપ્યો હતો અને સમજાવ્યા હતાં. માધુરીએ રડતાં સુશાંતને તેમના મોટા દીકરાનો કિસ્સો સંભાળવતા કહ્યું હતું કે, ‘તેમના બે દીકરા છે અને તે એક દિવસ સોફા પર બેઠા હતાં. ત્યારે તેમ કહ્યું હતું કે જ્યારે તે ડેન્વરમાં હતો ત્યારે તેને ખબર નહોતી પણ અત્યારે જ્યારે તે મળ્યો તો ખબર પડી કે કેટલો માધુરીને મિસ કરે છે. માધુરી કહ્યું હતું કે, ‘સુશાંત કેવું અનુભવી રહ્યો હશે.’

માધુરીએ વધુમાં કહ્યું કે, તે ભગવાનનો આભાર માને છે કે તેમના માતા-પિતા તેમની સાથે છે. માધુરીએ કહ્યું કે, ‘તે સમજે છે કે સુશાંત સિંહની મા જ્યાં હશે ત્યાંથી તેમને જોતી હશે. તેમના આશીર્વાદ સુશાંત સાથે છે, તે સુશાંતમાં છે. તેમને સુશાંત પર ગર્વ છે.’ ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતની માનું વર્ષ 2002માં નિધન થયું હતું. ત્યારે સુશાંત 16 વર્ષના હતા અને તેમની માને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને તેમની ખૂબ જ નજીક હતાં. સુસાઈડના 7 દિવસ પહેલાં સુશાંતે ઇન્ટાગ્રામમાં તેમની મા સાથેનો ફોટો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતની આ છેલ્લી પોસ્ટ હતી.

સુશાંત સિંહ રાજપુતે તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આસુઓથી વાષ્પિત થતું અતીત, હાસ્યના એક આર્કથી ઊભરતા સપના અને એક ક્ષણભંગુર જીવન, બંને વચ્ચે વાતચીત. મા’ ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોક છે. તેમના ઘરના પણ આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતના પિતા પણ તેમના અંતિમ સંસ્કાર માટે પટનાથી મુંબઈ આવ્યા હતાં.

સુશાંત સિંહ રાજપુતે તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આસુઓથી વાષ્પિત થતું અતીત, હાસ્યના એક આર્કથી ઊભરતા સપના અને એક ક્ષણભંગુર જીવન, બંને વચ્ચે વાતચીત. મા’ ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોક છે. તેમના ઘરના પણ આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતના પિતા પણ તેમના અંતિમ સંસ્કાર માટે પટનાથી મુંબઈ આવ્યા હતાં.

સુશાંત સિંહ રાજપુતે તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આસુઓથી વાષ્પિત થતું અતીત, હાસ્યના એક આર્કથી ઊભરતા સપના અને એક ક્ષણભંગુર જીવન, બંને વચ્ચે વાતચીત. મા’ ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોક છે. તેમના ઘરના પણ આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતના પિતા પણ તેમના અંતિમ સંસ્કાર માટે પટનાથી મુંબઈ આવ્યા હતાં

You cannot copy content of this page