સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલ જવા પર આ ગામનાં લોકો નથી કરી રહ્યા વિશ્વાસ
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી જેલના સળિયા પાછળ છે અને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલમાં ફસાયેલી છે, જેના કારણે તેને 14 દિવસ જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. NCB સાથે ચાલેલી લાંબી પુછપરછ બાદ ધરપકડ કરાયેલ તેનો ભાઇ શોવિક પણ ડ્રગ્સના કેસમાં જેલમાં છે. આ સમાચારથી રિયા ચક્રવર્તીના પરિવારજનો તો દુખી છે જ, સાથે સાથે રિયા ચક્રવર્તીના ગામના લોકો પણ આ સમાચારથી ચોંકી ગયા છે.
રિયા ચક્રવર્તીના સંબંધીઓએ પણ આ વિશે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ આસપાસનાં લોકો પાસેથી જાણવા મળ્યુકે, બધાં જ લોકો આ ખબરથી ચકિત છે. વાસ્તવમાં રિયાનાં સંબંધીઓએ આ મામલે કંઇ કહ્યું નહોતું, પરંતુ ગામના પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે રિયાના પરિવાર તે સમયથી એક પ્રખ્યાત પરિવાર છે જ્યારે રિયાના દાદા દિવાન હતા અને ઝારખંડની કોલમાઇન કંપનીમાં સિનિયર અધિકારી હતા. પરંતુ આ સિવાય રિયાના પરિવારજનોમાંથી કોઈએ તેમનો જવાબ કેમેરા સામે આપવાનો ઇનકાર કરી દીધો હતો.
જણાવી દઈએ કે કોવિડ, કોરોના, લોકડાઉન બધાને પાછળ છોડીને દેશની જનતાની નજર હવે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે તેની પર છે. દોષની આંગળી ઘણા લોકો પર જઈ રહી છે પરંતુ કોઈ પુરાવા ન હોવાના કારણે તપાસમાં CBIને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંગાળી અભિનેત્રી રિયા ચક્રવર્તીની મંગળવારે NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ક્યાં છે રિયાનાં પિતૃઓનું ગામ
રિયા ચક્રવર્તીનું મૂળ ઘર પુરૂલિયામાં બાઘમુંડીના તુનતુરી વિસ્તારમાં છે. તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સુશાંત કેસમાં રિયાના નામની સાથે સાથે સંબંધીઓ પણ આશ્ચર્યચકિત અને ગુસ્સે છે. વિસ્તારના લોકો પણ આ ઘટનાને સ્વીકારવા માંગતા નથી. પુરૂલિયાના બાઘમુંડીનું તુનતુરી ગામ, જ્યાં રિયા ચક્રવર્તીના દાદા 12 મૌઝાના દિવાન હતા. આ ઘરમાં કુટુંબના લોકો દ્વારા દુર્ગાપૂજા 323 વર્ષથી થઈ રહી છે. અહીં એક નટ મંદિર પણ છે. રિયા ચક્રવર્તીના દાદા શિરીષ ચક્રવર્તી ઝારખંડના ધનબાદમાં કોલિયરી મેનેજર હતા. રિયાના પિતા અને કાકા ત્યાં મોટા થયા હતા.
બાદમાં તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. પરંતુ એક સમય એવો હતો જ્યારે ભારતના જુદા જુદા ભાગોમાં પથરાયેલા ચક્રવર્તી પરિવારો દુર્ગાપૂજા માટે પૂજા માટે આવતા અને થોડા દિવસો પસાર કરતા હતા. તુનતુરી ગામમાં ચક્રવર્તી પરિવારના લોકોએ આ વાત કરી હતી. 20-22 વર્ષ પહેલાં, રિયા ચક્રવર્તીના પિતા રિયાને લઈને તુનતુરી ગામ આવ્યા હતા. રિયાનો નાનો ભાઈ (શોવિક) ત્યારે જન્મ્યો ન હતો.
તે પછી તે લોકો ફરી આવ્યા નહીં. તેમનું તે ઘર હજી છે. હવે તે લગભગ બરબાદ થઈ ગયુ છે અને જંગલોથી ઘેરાયેલું છે. પરિવારના કોઈ પણ સભ્ય આ વિવાદાસ્પદ મુદ્દા અંગે મોં ખોલવા માંગતા નથી. પડોશીઓએ કહેવું છેકે રિયા ચક્રવર્તીના પૂર્વજો આ ગામના છે. ગામના પડોશીઓએ તેમના વિશે શું કહ્યું?
પાડોશી- જ્યોતિન્દ્રનાથ ચટ્ટરાજ
તુનતુરી એક ખૂબ જ સમૃદ્ધ ગામ છે. આ પ્રદેશના દિવાન તરીકે ચક્રવર્તી પરિવાર, એક સમયે તે ખૂબ પ્રખ્યાત હતા. ઉચ્ચ શિક્ષિત ચક્રવર્તી પરિવારના સભ્યો ભારતના વિવિધ ભાગોમાં વિવિધ સરકારી ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. ચક્રવર્તી પરિવાર પર એવો આરોપ લગાવવામાં આવી શકે છે તેની કલ્પના પણ ન તઈ શકે.
પૂર્વ સાંસદ – વીરસિંહ મહતો
ચક્રવર્તી પરિવાર વિશે આ પેઢીનાં લોકો વિવાદની વચ્ચે મોં ખલતા ખચકાય છે. એક નટ મંદિર છે, એક વિરાન થયેલું ઘર છે, એક દુર્ગા મંડપ છે, રિયા ચક્રવર્તીનાં પિતાનાં નાણાકીય સહયોગથી બનાવવામાં આવેલું એક દુર્ગા પૂજા ભંડાર ઘર છે. પરંતુ પરિવારનાં લોકોથી લઈને ગ્રામીણો સુધી કોઈ પણ આ મામલાનો હિસાબ મેળવી શકતા નથી