Only Gujarat

Bollywood FEATURED

નવરાત્રિના નવ દિવસ ઉપવાસ શું પત્યાં જેઠાલાલે થાળી ભરીને ઝાપટ્યાં ફાફડા-જલેબી

મુંબઈઃ નવરાત્રિનો તેહવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે. મા દુર્ગાની આરાધનામાં ઘણા લોકો 9 દિવસ ઉપવાસ કરતા હોય છે. સામાન્ય લોકોની જેમ ઘણા ટીવી અને બોલિવૂડ સેલેબ્સ પણ 9 દિવસ વ્રત રાખતા હોય છે. જેમાંથી એક છે ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી.

તેમણે આ વખતે પણ 9 દિવસ આરાધના કરી અને વ્રત પણ રાખ્યા. ઉપવાસ પૂર્ણ થતા જ દશેરાના દિવસે પોતાનો વ્રત તોડ્યો અને પોતાની ફેવરિટ ડિશ એટલે ફાફડા અને જલેબીની મજા માણી હતી. તેમણે જલેબી-ફાફડાની મજા માણતા સમયની તસવીર પણ શેર કરી છે.

દિલીપ જોશીએ પોતાના બ્રન્ચની એક તસવીર શેર કરતા લખ્યું કે,‘નવ દિવસના ઉપવાસ બાદ જલેબી-ફાફડા ખાવાનો આનંદ અદ્ભુત છે.’ રીલ લાઈફમાં તેમના કેરેક્ટર એટલે કે જેઠાલાલને પણ જલેબી-ફાફડાનો શોખ છે.

દિલીપ જોશીએ પોતાના બ્રન્ચની એક તસવીર શેર કરતા લખ્યું કે,‘નવ દિવસના ઉપવાસ બાદ જલેબી-ફાફડા ખાવાનો આનંદ અદ્ભુત છે.’ રીલ લાઈફમાં તેમના કેરેક્ટર એટલે કે જેઠાલાલને પણ જલેબી-ફાફડાનો શોખ છે.

You cannot copy content of this page