Only Gujarat

FEATURED Health

પેટ પરની ચરબી ફટોફટ ઘટાડવી છે? તો ડાયટમાં તરત જ આ વસ્તુ કરો સામેલ

અમદાવાદઃ મોટાભાગના લોકો કહેતા હોય છે કે ઘી ખાવાથી વજન વધે છે. જોકે, આ વાત સાચી નથી. આયુર્વેદ પ્રમાણે, ઘી રોજ ખાવાથી માત્ર વજન જ ઓછું નથી થતું પરંતુ પાચનતંત્ર પણ મજબૂત થાય છે. આજે અમે ઘીના ફાયદા અંગે જણાવીશું.

ઘી ખાવાથી વ્યક્તિનું વજન ઘટs છે. દેસી ઘીમાં સીએલએ મેટાબોલ્ઝિમને યોગ્ય રાખે છે, જેથી વજન કંટ્રોલમાં રહે છે. ગાયના ઘીમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. જેને કરાણે શરીરમાં જામેલી ચરબી ઓગળીને મેટાબોલિઝ્મ વધારે છે. આથી જ ઘી ખાવાથી કોઈ વ્યક્તિ જાડું થતું નથી.

ગાયનું ઘી તબિયત માટે ફાયદાકારક છે. આના સેવનથી કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના મતે, દેસી ઘી પિત્તનું શમન કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારના વિષાક્ત પદાર્થને સરળતાથી બહાર કાઢે છે અને વ્યક્તિને કબજીયાત રહેતી નથી.

દેસી ઘીમાં વિટામિન A, K2, D, E જેવા પોષક તત્વો હોવાથી હોર્મોન નિર્માણ તથા સંતુલન કરવામાં મદદ કરે છે. આ જ કારણે પ્રેગ્નન્ટ તથા બ્રેસ્ટ ફીડિંગ કરાવતા મહિલાઓ ઘી ખાય તે બેસ્ટ માનવામાં આવે છે.

ઘીમાં વિટામિન K2 હોય છે, જેથી હાડકાઓને કેલ્શિયમ પહોંચાડવામાં સહાયક બને છે. આયુર્વેદ પ્રમાણે, ઘીમાં એવા તત્વો હોય છે, જે હાડકાઓ માટે તરલ પદાર્થનું નિર્માણ કરે છે. જેથી હાડકા મજબૂત બને છે.

આ સાથે જ ઘીથી રોજ ચહેરા પર મસાજ કરવામાં આવે તો ચહેરા પર કરચલીઓ પડતી નથી. વાળ માટે ઘી ઘણું ફાયદાકારક છે. વાળમાં ઘીથી મસાજ કરવાથી વાળ કાળા અને ચમકદાર બનશે.

નોંધઃ કોલેસ્ટ્રોલ, બાયપાસ સર્જરી, એન્જીયોપ્લાસ્ટી, બીપી વગેરે હોય તેમણે ઘીનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page