અમદાવાદઃ દેવી-દેવતાઓની પૂજા દરમિયાન આરતીમાં કપૂર નાખવામાં આવે છે. કહેવાય છે કે પૂજા દરમિયાન કપૂર નાખવાથી દેવી-દેવતા ખુશ થઈ જાય છે. આ સાથે જ પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ ના કરવાથી પૂજા અધૂરી માનવામાં આવે છે. જોકે, વાસ્તુની દૃષ્ટિએ કપૂરના અનેક લાભ છે.
વાસ્તુશાસ્ત્ર તથા સમુદ્ર શાસ્ત્ર બંનેમાં કપૂરના અઢળક ફાયદા બતાવવામાં આવ્યા છે. આર્થિક સંકટ દૂર કરવામાં કપૂર ઘણું જ લાભદાયી છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો રોજ સાંજે કપૂર સળગાવવું. આમ કરવાથી રોગ-શોક નષ્ટ થઈ જાય છે.
કોઈ દુર્ઘટનાથી બચવા માટે ઘણાં લોકો પોતાની કારમાં હનુમાનજી કે ફેંગશુઈ રાખે છે. જોકે, આમાં કપૂર ફાયદાકારક છે. રાત્રે કપૂર સળગાવીને હનુમાન ચાલીસા વાંચવા જોઈએ. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળીઓ રાખો. આમ કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થશે.
જો તમારા લગ્ન ના થતા હોય તો 6 કપૂરના ટુકડા તથા 36 લવિંગ લો. આ બંનેને ચોખા તથા હળદરમાં મિક્સ કરો. ત્યારબાદ મા દુર્ગાને આહુતિ આપો. આમ કરવાથી લગ્ન જલ્દી થઈ જશે.
કપૂરનો ઉપયોગ તમે ગ્રહ શાંતિ માટે પણ કરી શકો છો. રોજ ઘીમાં પલાળેલું કપૂર સળગાવો. કપૂરના બે-બે ટુકડા બાથરૂમ તથા શૌચાલયમાં રાખો.
જો મકાન કે દુકાન બનાવતા હોવ તો એક જગ્યાએ માટી મૂકીને તેની કપૂરથી પૂજા કરવી જોઈએ.
ઘરમાં અવાર-નવાર ઝઘડા થતા હોય અને પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડતા હોય તો ઘરમાં દરેક ખૂણામાં એક કપૂરની ગોળી નાખવી, આનાથી વાતાવરણ સકારાત્મક થશે.
પાર્ટનર સાથે ના બનતું હોય તો બેડરૂમમાં કપૂરની ગોળી રાખવી. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. બંનેના સંબંધોમાં મધુરતા આવે છે.
જો તમને લાગે કે ભાગ્ય સાથ નથી આપતું તો દર ગુરુવારે 12 કપૂરના ટુકડાને સાબુદાણા સાથે સળગાવો. આમ કરવાથી નસીબ ખુલી જશે.