મુંબઈઃ બોલિવૂડ અભિનેતા કુમાર ગૌરવનો 11 જુલાઇએ જન્મદિવસ છે. કુમાર ગૌરવ હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર રાજેન્દ્ર કુમારના દિકરા છે. કુમાર ગૌરવે તેમના કરિયરમાં ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે પણ, તેમને તે ફિલ્મોથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ ઉપકાંત તે બોલિવૂડમાં લાંબા સમય સુધી ટકી શક્યા નહોતાં. કુમાર ગૌરવના જન્મદિવસના અવસરે આજે અમે તેમની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું.
કુમાર ગૌરવે વર્ષ 1981માં ‘લવ સ્ટોરી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કુમાર ગૌરવની આ પહેલી ફિલ્મને રાજેન્દ્ર કુમારે પ્રોડ્યુસ કરી હતી. કુમાર ગૌરવે તેમની પહેલી જ ફિલ્મથી મોટા પડદા પર તેમની ખાસ છાપ છોડી અને તેમની ફિલ્મ હિટ થઈ હતી. આ પછી તેમણે ‘લવર્સ’, ‘એક સે ભલે દો’ અને ‘નામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. દર્શકોએ કુમાર ગૌરવનો અભિનય ખૂબ જ પસંદ કર્યો હતો.
કુમાર ગૌરવ શાનદાર ફિલ્મો કર્યા છતાં કરિયરમાં ખરાબ રીતે પસાર થવા લાગ્યા હતા. એક સમય એવો આવી ગયો કે તે હંમેશા મોટા પડદાં પરથી ગાયબ થઈ ગયા.
કુમાર ગૌરવના પિતા રાજેન્દ્ર કુમારને બોલિવૂડમાં ‘જુબલી કુમાર’ના નામથી ઓળખવામાં આવે છે પણ, તે તેમના પિતાની જેમ સિનેમામાં વધારે કામ કરી શક્યા નહોતાં. કલાકાર તરીકે કુમાર ગૌરવની સૌથી મોટી વ્યક્તિમાં ભલે ગણતરી ના થાય પણ તે આજે પણ તેમની જિંદગી શાનદાર અંદાજમાં જીવી રહ્યા છે.
એક્ટિંગની દુનિયા છોડી કુમાર ગૌરવે તેમનો બિઝનેસ કર્યો. આજે તે જાણીતા બિઝનેસમેન છે. કુમાર ગૌરવને માલદીવમાં ટ્રાવેલનો બિઝનેસ છે. આ સાથે જ તે કેટલાક કંસ્ટ્રક્શનનો પણ બિઝનેસ કરે છે.
કુમાર ગૌરવ તેમની બિઝનેસ લાઇફમાં ખુશ છે અને તેમને ફિલ્મોથી દૂર રહેવાનો કોઈ ગમ નથી. આ તે અનેકાવાર ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે.કુમાર ગૌરવ એક્ટર સંજય દત્તના બનેવી છે. કુમાર ગૌરવે સંજય દત્તની બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા છે.
નમ્રતા અને કુમાર ગૌરવે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી વર્ષ 1984માં લગ્ન કર્યા હતાં. નમ્રતા અને કુમાર ગૌરવને બે દીકરીઓ છે. જેનું નામ સાંચી અને સિયા છે.