Only Gujarat

Bollywood

‘દિલ તો પાગલ હૈ’ અને ‘રાજા હિંદુસ્તાની’ફિલ્મ છોડવાનાને લઈને જૂહી ચાવલાને આજે પણ છે અફસોસ?

મુંબઇ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એકબીજાને મ્હેણા મારવા એ સામાન્ય વાત છે. તમામ લોકો ક્રેડિટ લેવા માટે ઉભા જ રહે છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક ન સાંભળેલા કિસ્સાઓ આજે અમે તમને જણાવી રહ્યા છીએ. આ કિસ્સો જૂહી ચાવલા અને કરિશ્મા કપૂર સાથે જોડાયેલો છે. બંન્ને હાલમાં ફિલ્મોથી દૂર છે.
જૂહી ચાવલાએ ‘ઇશ્ક’, ‘ડર’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ અને ‘યસ બોસ’ જેવી ફિલ્મોથી 90નો દાયકો પોતાના નામે કરી લીધો હતો. 1984માં મિસ ઇન્ડિયા બન્યા બાદ જૂહી ચાવલાએ આમિર ખાનની ‘કયામત સે કયામત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેણે ક્યારેય પાછા ફરીને જોયું નથી. આ ફિલ્મએ જૂહીને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી હતી.

થોડા સમય અગાઉ જૂહી ચાવલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘રાજા હિંદુસ્તાની’ જેવી ફિલ્મો સૌ પ્રથમ તેને ઓફર થઇ હતી પરંતુ તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જૂહીએ ખુલાસો કરતા કહ્યું કે, લોલોનું કરિયર તેના કારણે ચમક્યું હતું.

જૂહી ચાવલાએ કહ્યું કે, તે સમયે મારું મગજ ખરાબ થઇ ગયું હતુ. મને લાગ્યું કે ઇન્ડસ્ટ્રી મારી સાથે કામ કરવાનું બંધ કરી દેશે જો હું સતત પ્રોજેક્ટ નહી કરું. આ ચક્કરમાં મારા હાથમાંથી અનેક ફિલ્મો જતી રહી હતી.

જૂહીએ કહ્યુ કે, હું તે દિવસે ફક્ત એવા લોકો સાથે કામ કરવા માંગતી હતી જેમની સાથે હું કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી. હું ક્યારેય મારી લિમિટ્સને પુશ કરવાનો પ્રયાસ કરતી નહોતી કારણ કે મારો ઇગો વચ્ચે આવી જતો હતો.

જૂહીએ મજાકમાં કહ્યું કે, હુ કરિશ્મા કપૂરના સ્ટારડમ માટે જવાબદાર છું. જો હું ફિલ્મ ના છોડતી તો તેને આ લોકપ્રિયતા ના મળી હોત. જોકે, જૂહીની વાત સાંભળી કરિશ્મા જરૂર આશ્વર્યચકિત થઇ ગઇ હશે.

નોંધનીય છે કે ‘દિલ તો પાગલ હૈ’ માટે કરિશ્મા કપૂરને નેશનલ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page