સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલનાં હોસ્ટ આદિત્ય નારાયણે કહ્યું કે, લોકડાઉનમાં તેમની બધી જ સેવિંગ ખતમ થઈ ગઈ છે. જો તેમણે ઓક્ટોબરમાં કામ શરૂ ન કર્યુ તો તેણે પોતાની બાઈક વેચવી પડશે.
બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન આઇડોલના હોસ્ટ અને ગાયક આદિત્ય નારાયણે ખુલાસો કર્યો છે કે તે નાદાર થઈ ગયો છે. આદિત્ય નારાયણે કહ્યું કે કોરોના વાયરસને કારણે એક વર્ષ સુધી કામ નહોતું થયું અને હવે તેના બેંક ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે.
ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નાના પડદે ઘણા શોમાં જોવા મળ્યો છે. લોકડાઉન પહેલાં, તે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની મેજબાની કરવાની સાથે હર્ષ લિંબાચીયા અને ભારતી સિંહના ખતરો કે ખિલાડીનો પણ હિસ્સો હતો. આદિત્ય એડવેંચર બેસ્ડ રિયાલિટી શો ખતરોકે ખિલાડીનો પણ હિસ્સો હતો., જેના ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી હોસ્ટ કરતાં હતા.
એક ઇન્ટરવ્યુ દરમિયાન, આદિત્ય નારાયણે કહ્યું હતું કે, ‘જો સરકાર લોકડાઉનને આગળ વધારશે તો લોકો ભૂખમરાથી મરવા માંડશે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘તેથી કોઈ વિકલ્પ નથી. મારા ખાતામાં મારી પાસે 18,000 રૂપિયા બાકી છે. તેથી જો હું ઓક્ટોબર સુધી કામ શરૂ નહીં કરું તો મારી પાસે પૈસા નહીં હોય. મારે મારી બાઇક અથવા કંઈક વેચવું પડશે.
‘વાસ્તવમાં તે કઠિન છે. દિવસના અંતે, તમારે કેટલાક કઠોર કોલ્સ લેવા પડશે. જ્યારે તમે તે કઠોર કોલ્સ લેશો, ત્યારે કેટલાક લોકોનો ચોક્કસ ભાગ હશે જે કહેશે કે આ નિર્ણય ખોટો છે.’
આદિત્ય નારાયણે એ વાત સ્વીકાર કરી હતી કે તેણે દેવાળિયા હોવાની વાત મજાકમાં કહી હતી અને તેણે બિલકુલ અંદાજ નહતો કે આ આ રીતે સામે આવશે. તેણે જણાવ્યું હતું કે, જ્યારથી આ સમાચાર વાયરલ થયા છે ત્યારથી મારો ફોન સતત વાગ્યા કરે છે. ઘણાંલોકો મારી મદદ કરવા માટે સામે આવ્યા છે. હું ફક્ત એ જ કહેવા માંગુ છું કે, હાલ જે સમાચાર સામે આવ્યા છે તે તદ્દન ખોટા છે. લગભગ એક મહિના પહેલા એક ઈન્ટરવ્યૂમાં મેં લોકડાઉનના કારણે સામાન્ય લોકોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી.
ત્યાર બાદ હું એ જરૂર કહેવા માંગીશ કે, સેલિબ્રિટિઝને પણ લોકડાઉનથી નુકસાન થઈ રહ્યું છે. અમને પણ કામ મળવામાં મુશ્કેલી પડી રહી છે. મજાક-મજાકમાં મેં તેમને એમ જ કહી દીધું હતું કે, મારાં એકાઉન્ટમાં થોડા જ રૂપિયા છે. મારે પણ ઘરનો હપ્તો આપવાનો હોય છે. મને નહોતી ખબર કે તેને આટલી મોટી ઘટના બનાવી દેવામાં આવશે. એક મહીના બાદ મારા લગ્ન થવાના છે. આવી વાત બોલવા પર હું વિચારી પણ ના શકું. ભગવાનની કૃપાથી મારું કરિયર સારું ચાલે છે અને હાલ મારે પૈસાની કોઈ કમી નથી.