મુંબઈ: નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. જો કે, કોરોનાના કારણે આ ઉત્સવનો રંગ થોડો ફીકો જરૂર પડી ગયો છે. તો પણ લોકોનો ઉત્સાહ ઓછો નથી થયો. સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ અને ટીવી સેલેબ્સ પણ આ ઉત્સવને પૂરી શ્રદ્ધા સાથે મનાવી રહ્યા છે. ટીવીની એક અભિનેત્રીએ નવરાત્રિના આ મોકા પર મા કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું. આમ તો ટીવીની અનેક સીરિયલ્સ અને ફિલ્મોમાં નજર આવી ચુકી છે અને સૌની પસંદગીની વહૂઓમાંથી એક છે, પરંતુ તેનું આ સ્વરૂપ ખૂબ જ અલગ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે કોઈ બીજું નહીં પરંતુ ઋષિના કંધારી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ એક્ટ્રેસનો દેવી અવતાર, શું તમે જોયો?
ઋષિના કંધારી મા કાળીના રૂપમાં મુંબઈના રસ્તા પર ફરતી નજર આવી. એટલું જ નહીં આ રૂપમાં તેને કોઈએ ઓળખી પણ નહીં.
ઋષિનાના આ ફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તે પોતાના લૂકના કારણે ખૂબ જ સમાચારોમાં રહ્યા છે. જણાવી દઈએ કે ઈશારો ઈશારો મેં, તૂ સૂરજ મે સાંઝ પિયાજી, દેવો કે દેવ મહાદેવ જેવા ટીવી શોઝમાં નજર આવી ચુકી છે.
ટીવી શોઝની સાથે તેણે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે એક વિલન, સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર, લુપ્ત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે ઋષિના ખૂબ જ ધાર્મિક છે. તે પોતાના મેકઅપરૂમમાં રામાયણની ચોપાઈ સાંભળે છે અને કપૂર પણ સળગાવે છે.