Only Gujarat

Bollywood

આખરે કોણ છે AU? રિયાએ એક બે નહીં પણ 63-63 વાર કરી હતી ફોન પર વાત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત કથિત આત્મહત્યા કેસમાં તપાસ રોજસે નવી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સુશાંતની કોલ ડિટેલ રેકોર્ડસ પણ સામે આવી છે. તો આ બાજુ રિયા ચક્રવર્તી કોલ ડિટેલ્સથી ખુલાસો થયો છે કે, તે બોલિવૂડની કેટલીક મોટી હસ્તીઓના સંપર્કમાં હતી. આમિર ખાન, રકુલ પ્રીત સિંહ, આદિત્ય રોય કપૂર, રાણા દગ્ગુબાતી,સની સિંહ અને શ્રદ્ધા કપૂર સાથે પણ રિયાએ વાત કરી હતી. જો કે આ લિસ્ટમાં એક એવો પણ નંબર છે. જે શંકાસ્પદ જણાઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટસ મુજબ રિયાએ તેના ફોનમાં એક નંબર AU નામથી સેવ કર્યો છે. આ નંબરને લઇને અનેક આશંકાઓ ઉપજી રહી છે કારણ કે, આ નંબરથી જ રિયાએ 63 વખત ફોન પર વાતચીત કરી હતી. આ નંબરની આવા અનેક કારણોથી ચર્ચા પણ થઇ રહી છે. જો કે આ નંબર મુદ્દે રિયાની ટીમ તરફથી સ્પષ્ટતા થઇ ગઇ છે.

AU નામથી સેવ કરેલા નંબર મુદ્દે રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે, આ નંબર અનન્યા ઉધાસનો છે. અનન્યા રિયાની ફેમિલિ ફ્રેન્ડ છે. આ કારણથી બંને વચ્ચે અનેક વખત વાતચીત થયા છે. જો કે રિયા અને અનન્યા વચ્ચે આખરે શા માટે આટલી વાતો થતી હતી, તે મુદ્દે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ.

રિયાએ એક વખત આમિર ખાનને ફોન કર્યો હતો. જ્યારે આમિરે તેમને ત્રણ મેસેજ પણ કર્યાં હતા. તેમજ રિયાએ આદિત્ય કપૂરને પણ 16 વખત કોલ કર્યો હતો. જ્યારે આદિત્યે રિયાને સાત વખત કોલ કર્યો હતો. રકુલ પ્રીત સિંહેને પણ 30 વખત કોલ કર્યો હતો જ્યારે તેમની તરફથી 14 કોલ આવ્યા હતા.

રિયાએ ત્રણ વખત શ્રદ્ધા કપૂરને ફોન કર્યો હતો તો શ્રદ્ધાએ રિયાને 2 વખત ફોન કોલ કર્યો હતા. ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ ના અભિનેતા સની સિંહને રિયાએ સાત વખત કોલ કર્યો હતો. જ્યારે સનીએ 4 વાર કોલ કર્યા હતા.

રિયાએ રાણા દુગ્ગુબાતી સાથે પણ વાતચીત કરી હતી. રિયાએ રાણાને પણ સાત વખત કોલ કર્યાં હતા. જ્યારે તેમના તરફથી 4 કોલ આવ્યા હતા. સુશાંતની તબિયત ખરાબ થયા બાદ રિયા સતત મહેશ ભટ્ટના સંપર્કમાં હતી. રિયાએ મહેશ ભટ્ટને નવ વખત કોલ કર્યો હતા. જ્યારે મહેશ ભટ્ટ તરફથી રિયાને સાત કોલ થયા હતા.

You cannot copy content of this page