એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે દરરોજ નવા-નવા દાવા કરવામાં આવે છે. બિહારથી આવેલાં સુશાંતસિંહ રાજપૂતનાં નિધન બાદથી જ નેપોટીઝમ અને જૂથવાદનો મુદ્દો ગરમાયો છે. ત્યારે આ બધા વચ્ચે બિહારનાં લોકગાયક સુનિલ છૈલા બિહારીએ સુશાંતસિંહ રાજપૂત મોતનાં મમાલે એકટર સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુનીલ છૈલા બિહારીએ યૂટ્યૂબ પર વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છેકે, સુશાંતને છેલ્લાં એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી.
તેમણે કહ્યુ કે,છેલ્લાં થોડા મહિનાઓથી સતત ધમકીઓ મળવાને કારણે તે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. ધમકીઓ મળવાને કારણે તે સતત પોતાના મોબાઈલનાં સીમકાર્ડ બદલી રહ્યો હતો. સુશાંતે એક મહિનામાં લગભગ 50 વાર સિમકાર્ડ ચેન્જ કર્યા હતા. સુનિલ છૈલા બિહારીએ આરોપ લગાવ્યો હતોકે, સિમકાર્ડ બદલ્યા બાદ પણ ધમકીઓ આવવાનું બંધ થયુ ન હતુ.
સુશાંતનાં જીગરી દોસ્ત સંદીપ ઉપર પણ લગાવ્યા ગંભીર આરોપ
લોકગાયકનો આરોપ છેકે, સુશાંતનાં દોસ્ત સંદીપ સિંહ દર વખતે નવા સિમકાર્ડનો નંબર ધમકી ગેંગ એટલેકે સલાનખાન એન્ડ ગેંગને આપી દેતો હતો. ત્યારબાદ સલમાન તેનાં ગુંડાઓનાં માધ્યમથી સુશાંતને કોલ કરીને ધમકીઓ અપાવતો હતો. તેને કારણે સુશાતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ.
આ મામલાની CBI તપાસ થવી જોઈએ. સુનિલ છૈલા બિહારીનો આરોપ છેકે, સંદીપ સિંહ જેવાં એક્ટરને લાગે છેકે, જ્યાં સુધી સલમાનખાન, એકતા કપૂર અને કરણ જોહર જેવાં લોકોનો સહારો નહી મળે તે કશું કરી શકશે નહી.
એટલા માટે સંદિપ સુશાંતની બધી જ જાણકારી સલમાનખાન ગેંગ સુધી પહોંચાડતો હતો. સૂત્રો પાસેથી જાણ થઈ છે કે, મુંબઈ પોલીસને પ્રારંભિક તપાસમાં જાણ થઈ છે કે, સુશાંત થોડા દિવસોથી સતત સિમકાર્ડ બદલતો હતો.
જોકે,તેની ઉપર હાલમાં પોલીસ કંઈ પણ કહેવાનો ઈનકાર કરી રહી છે. પોલીસનું કહેવું છેકે, તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા બાદ આ વનાતોનો ખુલાસો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, સુશાંતે 14 જૂને પોતાના મુંબઈનાં ફ્લેટમાં ફાંસી લગાવનીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી તેના વિશે કોઈ જાણાકરી નથી. એક્ટરનાં ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અહેવાલ છેકે, સુશાંત 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.