કોરોના (Covid-19Outbreak) સામેની લડતમાં ભારતને મોટી સફળતા મળી રહી હોય તેવું લાગે છે. ભારતે કોરોના વાયરસ રસી (Covid-19 Vaccine) તૈયાર કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. ભારત બાયોટેકે (Bharat Biotech) કોરોના વાયરસ રસીની શોધ કરી છે. આ રસીનું નામ કોવેક્સિન (COVAXIN) છે અને મોટી વાત એ છે કે આ રસીના માનવ પરીક્ષણોને પણ મંજૂરી આપવામાં આવી છે.
ભારત સરકારે તેના માનવ પરીક્ષણોને મંજૂરી આપી છે. મનુષ્ય પર કોવાક્સિન (COVAXIN) રસીનું ટ્રાયલ જુલાઈથી શરૂ થશે. માનવીય પરીક્ષણોનાં પરિણામોનાં આધારે આ રસી અપનાવવાનો નિર્ણય લેવામાં આવશે.
ભારત સરકારે તેના માનવ પરીક્ષણોને મંજૂરી આપી છે. મનુષ્ય પર કોવાક્સિન (COVAXIN) રસીનું ટ્રાયલ જુલાઈથી શરૂ થશે. માનવીય પરીક્ષણોનાં પરિણામોનાં આધારે આ રસી અપનાવવાનો નિર્ણય લેવામાં આવશે.
વાયરસનાં સ્ટ્રેનને પુણે સ્થિત એનઆઈવીમાં આઈસોલેટ કરવામાં આવી હતી અને ભારત બાયોટેકને મોકલવામાં આવી હતી, જ્યાં આ દેશી રસી વિકસાવવામાં આવી હતી.
હાલના સમયમાં દુનિયાભરમાં કોરોના વાયરસની 100 કરતાં વધારે વેક્સિન (COVID-19 Vaccine) પર કામ ચાલી રહ્યુ છે. પરંતુ હજીસુધી કોઈ ચોક્કસ પરિણામ મળી શક્યુ નથી.