15 જૂનની રાત્રે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઝડપને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહે અમુક ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યુકે, ચીનનાં તંબૂમાં અચાનક આગ લાગી ગઈ હતી, તેને જોઈ ભારતીય જવાનો ભડકી ઉઠ્યા હતા. જોકે, તેમણે કહ્યું કે, એ કહેવું મુશ્કેલ છે કે, ચીની ટેંટમાં એવું તો શું રાખ્યું હતું જેનાથી રહસ્યમયી આગ લાગી ગઈ હતી.
અત્યાર સુધી હિંસક ઝડપને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેનાએ ચીની સૈનિકોના પાછળ હટતાં જ કેમ્પ ઉખાડીને ફેંકી દીધા હતા. ત્યારબાદ અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાનાં 20 જવાનો શહીદ થયા હતા. તોચીનનાં 40 જવાનો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. જોકે,ચીને સત્તાવાર કોઈ આંકડા જાહેર કર્યા નથી.
અચાનક તંબૂમાં લાગી આગ
વીકેસિંહે જણાવ્યુકે, 15 જૂનની રાત્રે કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ પેટ્રોલિંગ પોઈન્ટ 14 પર હતા. જ્યારે તેમણે જોયું કે, ચીને તંબૂ પાછા હટાવ્યા નથી.
આ દરમ્યાન સંતોષ બાબૂએ ચીનનાં સૈનિકોને તંબૂ હટાવવા માટે કહ્યું હતું. જ્યારે ચીની સૈનિકો તેને હટાવી રહ્યા હતા તો તેમાં આગ લાગ ગઈ. હવે તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે, તંબૂમાં શું રાખ્યું હતું. ત્યારબાદ સૈનિકોની વચ્ચે ઝડપ થઈ હતી.
આ કારણે અકળાયેલું છે ચીન
વીકે સિંહે વાતચીતમાં જણાવ્યુકે, ભારતની પાસે 1962નાં યુદ્ધથી પેટ્રોલિંગ પોઈન્ટ 14 છે. ભારતે શ્યોક નદીની સાથે સાથે રસ્તો બનાવ્યો છે. જે દોલત બેલ ઓલ્ડી સુધી જાય છે. પહેલાં આ રસ્તેથી સામાન 15 દિવસમાં પહોંચી જતો હતો.
હવે 2 દિવસમાં પહોંચી જાય છે. ચીન તરફથી આ રસ્તો દેખાતો નથી. એટલા માટે ચીન અકળાયેલું છે. આ રસ્તા પર નજર રાખવા માટે ચીન 14 પીપી પર પોતાનો દાવ કરી રહ્યુ છે. ત્યારબાદ હવે ચીનના સૈનિકોએ આગળ આવવાનો પ્રયાસ કર્યો તો ભારતનાં સૈનિકોએ રોકી દીધા હતા.