હરિયાણાના સોનીપતથી એક યુવતીની લાશ મળતા હડકંપ મચી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક તરફી પ્રેમમાં મહિલાની હત્યા કરવામાં આવી. મૃતક મહિલા શિવાનીની સાથે કામ કરનારા નીરજે જ્યારે રવિવાર 28 જુને બ્યૂટી પાર્લર ખોલ્યું તો તેને બદબૂ આવી ત્યારબાદ તેણે બેડ ખોલ્યો અને તેમાં શિવાનીની લાશ જોઇને તેના હોશ ઉડી ગયા.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિવાનીની હત્યા ગળું દબાવી કરવામાં આવી અને તેની લાશને પાર્લરના બેડમાં છૂપાવી રાખી દીધી હતી. શિવાનીના પિતા વિનોદે તેની જાણકારી પોલીસને આપી.
તેઓએ આરિફ નામનના એક યુવક પર આરોપ લગાવ્યો છે કે તે અંદાજે 3 વર્ષથી તેની દીકરીને પરેશાન કરી રહ્યો હતો. જેનાથી કંટાળી તેઓએ પોતાનું મકાન પણ બદલી લીધું હતું. પિતાના નિવેદનના આધાર પર પોલીસે આરિફ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
શિવાનીના પિતાએ પોલીસને જણાવ્યું કે તેની મોટી દીકરી શ્વેતા અને નાની પુત્રી શિવાની કુંડલી ટીડીઆઇમાં ટચ એન્ડ કેરના નામથી સલૂન ચલાવે છે. આરીફ નામનો શખ્સ શિવાનીને પરેશાન કરતો હતો. આરોપ છે કે આરિફે શુક્રવારે જ શિવાનીની હત્યા કરી દીધી હતી. તે શુક્રવારથી ગાયબ હતી જેની શોધખોળ ચાલુ છે.
બંને યુવતીઓ સાથે કામ કરનારા નીરજ જ્યારે સલૂન પહોંચી તો તેને બદબૂ આવી. સલૂનમાં રાખેલા બેડને જ્યારે તેણે ખોલ્ય તો તેમાં લાશ જોઇ તેના હોશ ઉડી ગયા. પછી મામલાનો પર્દાફાશ થયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.
પોલીસે શિવાનીના પિતા વિનોદના નિવેદનના આધારે આરિફ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. તેનો આરોપ છે કે એકતરફી પ્રેમમાં તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. પોલીસ આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
શિવાનીના ટિકકોટ પર 1 લાખ 75 હજાર ફોલોઅર્સ હતા. તપાસમાં સામે આવ્યું કે આરિફ 26 જુને શિવાનીના બ્યૂટી પાર્લરમાં આવ્યો હતો. શિવાનીએ આ વાત પોતાની બહેન શ્વેતાને જણાવી હતી. જ્યારે શિવાની ઘરે પરત ન ફરી તો શ્વેતાએ તેને વોટ્સએપ પર મેસેજ કર્યો. રિપ્લાઇ મળ્યો કે તે હરિદ્વારમાં છે. મંગળવાર 30 જુન એટલે કે ત્રણ-ચાર દિવસ બાદ પરત ફરશે. માનવામાં આવી રહ્યું છે કે આરોપી શિવાનીનો ફોન લઇ ગયો હતો. તેને જ શ્વેતાને રિપ્લાઇ કરી રહ્યો હતો.