રાયપુરઃ આખા દેશ માં જ્યારે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી ગયું છે, ત્યારે ફરી એક વખત ડોક્ટર અને નર્સ પૃથ્વી ઉપર ભગવાન ની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ ઉભરીને આવ્યા છે. આવો જ એક હૃદયને સ્પર્શી જાય એવો કિસ્સો છત્તીસગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક નર્સના બલિદાનને દરેક વ્યક્તિ બિરદાવી રહી છે.
આખો પરિવાર કોરોના વાયરસ થી થયો સંક્રમિત:
કોરબા જિલ્લામાં એક આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો છે, જેમાં પરિવારની 2 મહિલાઓ પણ છે. પરિવાર ના બધા જ લોકો રાયપુરની AIIMS હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. જ્યાં 2 મહિલાઓ પોતાની સાથે 2 નવજાત બાળકીઓ ને પણ સાથે લઈ ને આવી છે,જોકે સારી વાત એ છે કે આ બન્ને બાળકીઓની માતા કોરોના સંક્રમિત હોવા છતાં તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે.
હવે ડોકટરો સામે મોટી સમસ્યા એ હતી કે આ બાળકીઓ ની સારસંભાળ કોણ કરશે, કેમ કે બન્ને બાળકીઓની માતા કોરોના સંક્રમિત હોવાથી તેઓ પોતાનુ દૂધના પીવડાવી શકતી નથી.
માનવતાનો પરિચય આપી રહી છે આ નર્સ
આ કપરા સમય માં આ મસુમો ની વ્હારે AIIMS હોસ્પિટલની એક નર્સ આવી છે અને માતા તરીકેની ગરજ સારી રહી છે, માનવતાનું ઉત્તમ ઉદાહરણ દાખવી રહી છે, અને એક માંની જેમ આ બાળકીઓને સાચવી રહી છે, તે આ બાળકીઓ ને PPE કીટ પહેરીને પોતાનું દૂધ પીવડાવી રહી છે અને તેમની દેખરેખ રાખી રહી છે, જ્યારે આ બાળકીઓ રોવે તો તેમને તરતજ પોતાના ખોળામાં લઇ ને ચૂપ કરાવે છે, ધન્ય છે આ મા ની મમતા ને.