વાજતે-ગાજતે જાન આવી પણ દુલ્હને કરી એક એવી હરકત કે વરરાજાએ કહ્યું, હવે નહીં કરું લગ્ન…..!
ઉન્નાવઃ હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આવામાં લગ્નને લઇને એક એવી ઘટના સામે આવી, જે જોઇ બધા અચરજમાં મૂકાઇ ગયા. વાત એવી બની કે લગ્ન માટે પહોંચેલા વરરાજા વરમાળા પહેરાવતી વખતે દુલ્હનની અજીબ હરકત જોઈને ભડકી ગયો હતો. વરરાજાએ દુલ્હનને માનસિક રોગી હોવાનું કહી મંડપમાં જ લગ્ન ના કરવાની રટ પકડી હતી.
ડબંને પરિવારના વડીલોએ વરરાજાને સમજાવ્યો પરંતુ તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ બંને પરિવારજનોના વડીલોએ લેવડદેવડનો સામાન એકબીજાને પરત અપાવ્યો હતો અને જાન લીલા તોરણે દુલ્હનને લીધા વગર જ પાછી ફરી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના સદર કોટવાલી વિસ્તાર ક્ષેત્રના એક ગેસ્ટ હાઉસની છે.
માખી પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામમાં રહેતા યુવકના બુધવારે (12 ફેબ્રુઆરી)ના રોજ લગ્ન હતાં. જાન સદર કોટવાલી વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં આવી હતી. જાન આવ્યા બાદ લગ્નની વિધિ શરૂ થઇ. વરરાજા વરમાળા માટે સ્ટેજ પર પહોંચ્યો હતો અને આ સમયે દુલ્હન પણ સ્ટેજ પર આવી હતી.
બાદમાં વરરાજાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જ્યારે દુલ્હનની બેનપણીઓએ તેને વરમાળા પહેરાવવાનું કહ્યું હતું પરંતુ તેણે કોઇ પ્રતિક્રિયા ના આપી. અનેક વખત કહેવા છતાં યુવતીએ વરમાળા પહેરાવી જ નહીં.
અંતે, પિતાના દબાણમાં આવીને દુલ્હને વરરાજા તરફ વરમાળાનો ઘા કર્યો હતો. આ જોઇ વરપક્ષના લોકો ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા હતાં. વરરાજાને પછી શંકા ગઈ કે દુલ્હનનું માનસિક સંતુલન બરાબર નથી અને તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી.
કલાકો સુધી બંને પક્ષે સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં પરંતુ વરરાજા ટસનો મસ થયો નહીં. ત્યારબાદ બંને પક્ષના વડીલોએ સમજાવવાના પ્રયાસ કર્યા પરંતુ વરરાજા માન્યો નહીં. ત્યારબાદ બંને પક્ષે ખર્ચનો હિસાબ લગાવવામાં આવ્યો અને અંતે દુલ્હનને લીધા વગર જ જાન લીલા તોરણે પરત ફરી.