પત્નીના અનૈતિક સંબંધોથી ગુસ્સે થઈને પતિએ જે કર્યું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે
છતરપુર જિલ્લાના નૌગાંવમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપ અને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે. આરોપી બાળકીનો પડોશી રાજેશ વિશ્વકર્મા છે. જેના પર પોલિસે 25 હજારના ઇનામની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, 28-29 ની રાત દરમિયાન રાજેશનો તેની પત્ની સાથે ઝગડો થયો હતો. તેની પત્નીના નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો.
ત્યારબાદ આરોપીએ દારૂ પીધો અને ગાંજાનો નશો પણ કર્યો અને રાત્રે 9 વાગે ઘરેથી નીકળી પડ્યો. પડોશીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો તેમાં ઘૂસી ગયો અને સૂતેલી માસૂમને ઉઠાવી ગયો. તેને ગામની બહાર કૂવા કાંઠે લઈ ગયો.
છતરપુર એસપી કુમાર સૌરભે પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બનગાંયમાં માસૂમના રેપ અને હત્યાના આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. આરોપી રાજેશ વિશ્વકર્માએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીના પત્નીના તેના સગા ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેનાથી તે ગુસ્સે હતો.
એસપીએ જણાવ્યું કે, આરોપીએ નશામાં પત્ની સાથે ઝગડો કર્યો અને ઘરેથી નીકળી ગયો. ત્યારબાદ પડોશમાં સૂતી બાળકીને ઉઠાવી કૂવા કાંઠે લઈ ગયો અને રેપ કર્યો. ત્યારબાદ તેને ડર લાગ્યો અને કોઇને ખબર ન પડી જાય એ બીકે બાળકીને કૂવામાં ફેંકી તેની હત્યા કરી નાખી. એસપીએ જણાવ્યું કે, ઘટનાની તપાસ માટે 13 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટ કરી શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે બીજેપી સરકારમાં કાયદા-વ્યવસ્થા પર સવાલ કર્યા હતા. આ કેસમાં એસપી કુમાર સૌરભે નૌગાંવ સ્ટેશન ટીઆઈને સસ્પેન્ડ કરી આરોપી પર 10 હજારના ઇનામની જાહેરાત કરી હતી. ત્યારબાદ સાગર રેંજ આઈજીએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને ઇનામની રકમ વધારીને 25 હજાર કરી દીધી.