મુંબઈઃ ટીવીની ફૅમશ સિરિયલ ‘અનુપમા’ના એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સ ત્યારે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીએ મોકલેલી સરપ્રાઇઝ તેમની વહુ મદલસા શર્માના સેટ પર પહોંચી. સેટ પર હાજર લોકોએ જણાવ્યું કે, ‘મિથુને ખાસ પોતાની પુત્રવધુ માટે શાકાહારી ભોજન મોકલાવ્યું હતું.’ મહત્ત્વનું છે કે, વેજ બિરયાનીનો આનંદ મદલસા સાથે સેટ પર હાજર લોકોએ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મદલસાના લગ્ન મિથુનના દીકરા મિમોહ સાથે થયાં છે.
‘અનુપમા’ સિરિયલમાં એક્ટ્રસ મદાલસાના કેરેક્ટરનું નામ છે કાવ્યા. મદાલસાના લગ્ન મિથુનના દીકરા મિમોહ સાથે થયાં છે. મદાલસા કહે છે કે, ‘તેમના સસરા એક શાનદાર શેફ છે. વિભિન્ન વ્યંજનો વિશે તેમનું જ્ઞાન અદભૂત છે. તે ખુદની રેપિપી બનાવે છે અને જ્યારે પણ તે કંઈક બનાવે તો તેનો સ્વાદ લે છે.’
‘તેમના હાથનું બનેલું ભોજન આ દુનિયાના સૌથી સ્વાદિષ્ટ વ્યંજન લાગે છે. જ્યારે પિતાજી (મિથુન) દરેક માટે બિરયાની લઈને આવ્યા તો સિરિયલના દરેક કલાકારોએ ખાવાનો આનંદ લીધો.’
સિરિયલનો ઉલ્લેખ કરતાં મદાલસાએ કહ્યું કે, ‘આ તેમના માટે એક સપનું સાચુ થવા સમાન જેવું છે. તેમના મનમાં વર્ષોથી આ સિરિયલના નિર્માતા પ્રત્યે અસીમ સન્માન છે અને છેલ્લે , જ્યારે તેમને કાવ્યાનો રોલ મળ્યો તો તેમને સારું લાગ્યું.’
‘જ્યારે તેમને પહેલીવાર કાવ્યાના રોલ વિશે સાંભળ્યું તો તરત જ હાં કહી દીધી હતી. દરરોજ મદાલસા કંઈક સારું કરવાની ભાવના સાથે સેટ પર આવે છે. તેમનો પરિવાર અનૂભવે છે કે, કાવ્યા રિઅલમાં એક મજબૂત ચરિત્ર છે અને ઘણી અલગ રીતે વિચારે છે. તે ખુશ છે કે તેમની ભૂમિકાને દૃઢતાની નિભાવી રહી છે.’
ઉલ્લેખનીય છે કે, મદાલસા અને મિમોહના લગ્ન 10 જુલાઇ, 2018માં થયાં હતાં. લગ્ન દરમિયાન મિથુનના દીકરા પર એક ભોજપુરી એક્ટ્રસે રેપનો આરોપ લગાવ્યો હતો, પણ આ છતાં એક્ટ્રસે લગ્ન કર્યાં હતાં.