Only Gujarat

Health

તમે ગોલગપ્પા ન ખાતા હોવ તો આજે જ શરૂ કરી દેજો થશે આ મોટા સ્વાસ્થ્ય ફાયદા

ગોલગપ્પા જેને આપણે પાણીપુરીના નામથી પણ ઓળખીએ છીએ. તે દરેકનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી માત્ર મન જ ખુશ નથી રહેતું પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે. નહીં તો ચાલો તેના વિશે જાણીએ…

પાણીપુરી ખાવાથી તમારું વજન ઘટી શકે છે. પાણીપુરીમાં કોથમીર, ફુદીનાની ચટણી, કાચી કેરી મિક્સ કરવામાં આવે છે. તેમાં હિંગ પણ હોય છે. આમલી જેવી ઘણી સામગ્રી ઉમેરવામાં આવે છે જે પેટને દુરસ્ત રાખવામાં મદદ કરે છે અને સ્થૂળતાને વધતા અટકાવે છે.

પાણીપુરી ખાવાથી ડાઇજેશન પ્રોબ્લેમ નથી થતી. વાસ્તવમાં તેના પાણીમાં ફુદીનો, જીરું અને હિંગ નાખવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ પાચન માટે સારી છે. તો હિંગ ગેસની સમસ્યામાં કારગર છે.

પાણીપુરી ખાવાથી પણ મોંના ચાંદાની સમસ્યામાં પણ રાહત મળે છે. વાસ્તવમાં, જ્યારે તમે પાણીપુરીનું પાણી પીઓ છો, ત્યારે તેમાંથી વધુ લાળ નીકળે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે આનાથી મોંના ચાંદા મટાડવામાં મદદ મળે.

પાણીપુરીના પાણીમાં ફુદીનો અને હિંગ હોય છે જે તમને કફ અને શરદીથી રાહત આપે છે.

ઉનાળામાં પાણીપુરી ખાવાથી મૂડ અપલિફ્ટ થાય છે. વાસ્તવમાં ઉનાળામાં જ્યારે ગભરામણ થાય છે ત્યારે કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે એવામાં જો તમે પાણીપુરી ખાઓ અને તેનું પાણી પીવો તો મૂડ પણ ફ્રેશ થઈ જાય છે અને તરસ પણ ઓછી લાગે છે.

જ્યારે પણ તમને ઉબકા આવે છે અને એસિડિટી થાય છે, તો આવી સ્થિતિમાં તમે પાણીપુરી ખાઈ શકો છો, તે મોંનો સ્વાદ સુધારે છે અને એસિડિટીમાં પણ રાહત મળે છે. આ ઉપરાંત કબજિયાતની ફરિયાદ પણ દૂર થઈ જાય છે.

You cannot copy content of this page