પરણિત સ્ત્રીઓને એક આદત હોય છે કે તેઓ ઘણીવાર તેમની ચીજો અન્ય મહિલાઓ સાથે શેર કરે છે. કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે જો તમારી બિંદી ખૂબ સારી લાગે છે, તો તેણી તેના કપાળમંથી ઉતારીને ફટાફટ તેને લગાવી દેશે. પરંતુ સુહાગન મહિલાઓએ બધું શેર કરવું જોઈએ નહીં. આનાથી તમારા સંબંધોમાં અણબનાવ લાવી શકે છે, અને સુહાગ અને સૌભાગ્ય પર ખરાબ નજર લાગે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી બાબતો વિશે કે જે પરિણીત મહિલાઓએ તેમના પરિવાર અથવા મિત્રો સાથે શેર ન કરવી જોઈએ.
માંગનું સિંદૂર: સિંદૂરએ સુહાગની નિશાની હોય છે, તેથી તેને કોઈની સાથે શેર કરવાની ભૂલ ન કરો. જો કે, જો તમે ઈચ્છો છો, તો તમે ભગવાનને ચડાવેલું સિંદૂર અથવા નવી સંદૂરની ડબ્બી આપી શકો છો. આ સિવાય મહિલાઓએ કોઈની સામે સિંદૂર ના લગાવવું જોઈએ.
લગ્નનાં કપડાં: સુહાગન મહિલાઓએ તેમના લગ્નના કપડાં, ઓઢણી અથવા પીળી સાડી, જે પણ કપડા તમે લગ્નનાં દિવસો પહેર્યા હોય તે કોઈ પણની સાથે શેર કરવા જોઈએ નહી. તેનાંથી તમારું સૌભાગ્ય છીનવાઈ શકે છે.
આંખોનું કાજલ: કાજલ આંખોની સુંદરતામાં વધારો કરે છે, અને સાથે સાથે તે નજર લાગવાથી પણ બચાવે છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ ક્યારેય કાજલ કોઈની સાથે શેર ન કરવું જોઇએ. તેનાથી પતિનો પ્રેમ ઘટવા લાગે છે અને ઝઘડા પણ થાય છે.
માથાનો ચાંદલો: સિંદૂરની સાથે બિંદી પણ સુહાગની નિશાની છે. આવી સ્થિતિમાં, તેને કોઈની સાથે શેર ન કરો. એવું માનવામાં આવે છે કે કોઈના કપાળ પરથી કોઈ બીજાને બિંદી આપવાથી પતિનો પ્રેમ વહેંચાય છે. જો તમે કોઈને કોઈ બિંદી આપવા માંગતા હો, તો નવી બિંદી ખરીદીને આપો.
હાથની મહેંદી: મહેંદી પતિના લાંબા આયુષ્યની નિશાની હોય છે. મહેંદીનો રંગ જેટલો ઘેરો હોય છે, એટલો જ પ્રેમ પતિનો તે સ્ત્રીને મળે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી મહેંદી કોઈની સાથે શેર કરો છો, તો પછી પતિનો પ્રેમ પણ વહેંચાય છે. આવી સ્થિતિમાં, બાકીની મહેંદીને તમારા હાથ પર લગાડ્યા પછી બીજી સુહાગન સ્ત્રીને ક્યારેય ન આપો.
હાથની બંગડી અને પગની પાયલ: બંગડીઓ અને પાયલની ખનક વિવાહિત મહિલાઓનાં જીવનમાં ખુશીઓ લઈને આવે છે. ઘણીવાર જોવા મળે છે કે મહિલાઓ કપડા સાથે મેચિંગ કરવાનાં ચક્કરમાં પોતાની આ વસ્તુઓને બીજા સાથે શેર કરે છે. પરંતુ તેમ કરવું અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અન્યને બંગડીઓ અને પગની પાયલ લેવા અને ન આપવી વધુ સારું રહેશે.
માંગ ટીકો: તમારે તમારી માંગ ટીકો પણ કોઈની સાથે શેર કરવો જોઈએ નહીં કારણ કે તે એક અપશુકન માનવામાં આવે છે. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં અણબનાવ થઈ શકે છે.