ચંદીગઢઃ હરિયાણા પોલીસે મંગળવાર, 30 જૂનના રોજ ડીજી કક્ષાના કેટલાક અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના જીજા ઓ.પી સિંહને ફરીદાબાદના પોલીસ કમિશનર તરીકે નિમણુક આપી છે. ઓપી સિંહ કે.કે રાવનું પદ સંભાળશે જ્યારે કે.કે.રાવ ગુડગાંવમાં કમિશનર પદ સંભાળશે. આ સિવાય ગુરૂ ગ્રામના પોલીસ કમિશનર મોહમ્મદ અકીલ હરિયાણાના ડી.જી ક્રાઇમ તરીકે નિમણુક અપાઇ છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના જીજા ઓ.પી સિંહ સિનિયર આઇપીએસ અધિકારી છે. તે સીએમઓમાં સ્પશિયલ અધિકારી( કમ્યુનિટી પોલિસિંગ એન્ડ આઉટરીચ) છે. આઇપીએસ ઓ.પી સિંહ 1997 બેંચના અધિકારી છે.
સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી. તેમણે 14 જૂને ફાંસી લગાવીને દુનિયાને અલવિદા કરી દીધું. હાલ સુશાંત સિંહના નિધનને લઇને તપાસ ચાલી રહી છે.
ડીજીપી ક્રાઇમ પી.કે, અગ્રવાલને રાજ્ય. સતર્કતા બ્યૂરો મહાનિર્દેશક બનાવાયા છે. સાઉછ રેન્જ રેવાડી એડીજીપી ડો આરસી મિશ્રાને હરિયાણાના પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના પ્રબંધ નિર્દેશક તરીકે નિમણુક અપાઇ છે. આ સાથે એફએસએલ, મધુબનના નિર્દેશકની વધારાની જવાબદારી પણ સોંપાઇ છે.
આ અધિકારીઓ સિવાય આઇપીએસ પી.કે. અગ્રવાલને ડીજી (એસવીએસ) હરિયાણા,ડૉય આર સી મિશ્રાને એમડી હરિયાણા પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અને આલોક કુમાર રોયને એડીજીપી, શ્રીકાંત જાઘવને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોમાં એડીજીપી, વિકાસ કુમાર અરોડાને સાઉથ રેન્જ રેવાડીના આઇજી બનાવાયા છે.