Only Gujarat

FEATURED Religion

ક્યાંક તમારી કુંડળીમાં પણ નથી ને રાતોરાત પૈસાદાર બનાવી દેતા રાજયોગ?

અમદાવાદઃ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈક વ્યક્તિને રાતોરાત સફળતા મળે છે અને તે અચાનક પૈસાદાર થઈ જાય છે. આવું કેમ થાય છે? આનો જવાબ આપણને જ્યોતિષમાં મળે છે. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે, કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ બને તો તેને અપ્રિતમ સફળતા મળે છે. કુંડળીમાં એવા રાજયોગ હોય છે, જે વ્યક્તિને જમીન પરથી ઉઠાવીને આસમાન પર બેસાડી દે છે. અનુકૂળ ગ્રહોની દશા અવધિ આવવા પર રાજયોગનું ફળ અચૂકથી મળે છે. આજે આપણે આવા જ કેટલાંક યોગ અંગે વાત કરીશું.


ગજ કેસરી રાજયોગઃ કુંડળીમાં ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાથી કેન્દ્રભાવમાં હોય અને કોઈ ક્રૂર ગ્રહ સાથે સંબંધ ના રાખે તો કુંડળીમાં ગજ કેસરી રાજયોગ બને છે. આ રાજયોગને કારણે વ્યક્તિ ધર્મ, આધ્યાત્મ ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આવી વ્યક્તિ સરકારી સેવામાં ઉચ્ચ સ્થાને હોય છે.

પારાશરી રાજયોગઃ કુંડળીમાં જ્યારે કેન્દ્રભાવોનો સંબંધ ત્રિકોણભાવથી હોય તો આવી સ્થિતિમાં પારાશરી રાજયોગનું નિર્માણ થાય છે. દશવિધમાં આ યોગના પ્રભાવથી જાતક ધનવાન તથા સમૃદ્ધિશાળી બને છે. તમારી પાસે દૌલત, શૌહરત, ગાડી બંગલા જેવી તમામ ભૌતિક સુવિધા હોય છે.

નીચ ભંગ રાજયોગઃ કુંડળીમાં જે રાશિમાં ગ્રહ નીચે બેઠો હોય અને તે રાશિનો સ્વામી તેને જોતો હોય અથવા તો જે રાશિમાં ગ્રહ નીચનો હોય અને તે રાશિનો સ્વામી સ્વગૃહી બનીને યુતિ સંબંધ બનાવે તો નીચ ભંગ રાજયોગ બને છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય તે રાજાની જેમ જીવન પસાર કરે છે.

ઉભયચરી રાજયોગઃ કુંડળીમાં જો ચંદ્રમાની સાથે રાહુ-કેતુ, સૂર્ય બીજા કે બારમા ઘરમાં હોય તો કુંડળીમાં ઉભયચરી યોગનું નિર્માણ થાય છે. આ રાજયોગવાળા વ્યક્તિનું ભાગ્ય ઘણું જ પ્રબળ હોય છે. આ જાતકોનો સ્વભાવ હસમુખો તથા બુદ્ધિમાન હોય છે. તેઓ મોટા પડકારો સહજતાથી પાર કરે છે.

ધનયોગઃ કુંડળીમાં પહેલો, બીજો, પાંચમો, નવમો તથા અગિયારમો ભાવ ધન આપનાર છે. જો આ ભાવના સ્વામીઓની યુતિ, દૃષ્ટિ કે રાશિ પરિવર્તન સંબંધ બને છે તો આ સ્થિતિમાં ધન યોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ વ્યક્તિના આર્થિક જીવનને ઘણું જ સમૃદ્ધ બનાવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page