સુશાંતસિંહ રાજપૂતનાં અવસાનને અઢી મહિના થઈ ગયા છે. તે આત્મહત્યા છે કે હત્યા? આ રહસ્ય હલ કરવા સીબીઆઈ 9 દિવસથી તપાસ કરી રહી છે. દરમિયાન શનિવારે સવારે અભિનેતાની યુ.એસ. સ્થિત બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ, જે હોસ્પિટલનો કર્મચારી હોવાનો દાવો કર્યો હતો, સુશાંતના ગળા પર નિશાન હતા અને તેનો પગ તૂટી ગયો હતો. શ્વેતાએ ટ્વીટ કર્યું- ‘ઓહ ગોડ. તેઓએ મારા ભાઈ સાથે શું કર્યું? કૃપા કરી તેમની ધરપકડ કરો.’
સુશાંતના ગળા પર સોય જેવા નિશાન હતા?
શ્વેતાએ જે વીડિયો શેર કર્યો છે તે ન્યૂઝ નેશનના સમાચારોનો એક ભાગ છે. આમાં, જે વ્યક્તિ પોતાને હોસ્પિટલનો કર્મચારી કહે છે તે જણાવે છે, “અમને ફક્ત એટલી જ ખબર હતી કે આ હત્યા છે. ગળામાં સોય જેવા 15-20 નિશાન હતા. જેમકે તેમને સોય મારવામાં આવી હતી. તેઓના ગળામાં ટેપ ચોંટાડી હતી. હું તેમને એમ્બ્યુલન્સની અંદર લઈ ગયો હતો. તેને સ્મશાનમાં પણ હુ જ લઈ ગયો હતો. તેનો પગ તૂટી ગયો હતો. જ્યારે તેનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેનો પગ વળી ગયો હતો.”
રિયા ચક્રવર્તીએ માફી માંગી હતી
કર્મચારીએ જણાવ્યું હતું કે, “રિયા ચક્રવર્તી જ્યારે આવી ત્યારે તેની સાથે બે માણસો હતા. લાંબા વાળવાળો એક માણસ હતો. તેણે મને પૂછ્યું કે શું શરીર બતાવી શકો છો? જ્યારે મેં શરીર બતાવ્યું હતુ, ત્યારે તેમણે માફી માંગી હતી. તે કંઈક બીજું પણ બોલી રહી હતી. પણ પછી મને બહાર મોકલી દેવાયો. તે 25 મિનિટ માટે અંદર હતી અને માફી માંગી રહી હતી. મોટા ડોકટરો પણ કહેતા હતા કે આ હત્યા છે. તે ફાંસી નથી.”
સુશાંતનું શરીર પીળું પડી ગયું હતું
આ કર્મચારીએ કહ્યું કે સુશાંતનું શરીર પીળું પડી ગયુ હતુ. અમે બૉડી જોઈને ઓળખી લઈએ છીએ. ફાંસીની બૉડી ક્યારેય પીળી પડતી નથી. છાતી અને પગ પર પીળા નિશાન હતા. બંને પગનાં તળિયે સોય મારી હોય એવાં 3-4 નિશાન પણ હતા.”કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. જ્યારે તેના શરીર પરના નિશાનને નકારી કાઢવામાં આવ્યા હતા. વિસરા રિપોર્ટમાં પણ આવું જ કહ્યું હતું. એવું કહેવામાં આવતું હતું કે સુશાંતનું મોત ફાંસી પછી ગૂંગળામણથી થયું હતું.
ગળા પર લિગેચર માર્કની વાત સામે આવી હતી
થોડા દિવસ પહેલાં એક્ટરનો પોસ્ટમોર્ટ રિપોર્ટ સામે આવ્યો હતો. જે મુજબ, સુશાંતનાં ગળામાં 33 સેમી લાંબો લિગેચર માર્ક હતો. બોલચાલની ભાષામાં ઉંડો નિશાન કહેવાય છે. સામાન્ય રીતે તે યુ (U) શેપમાં હોય છે. જે જણાવે છેકે, ગળા ઉપર દોરડું કે એવું જ કોઈ ભારે વસ્તુનું દબાણ પડ્યુ છે. ત્યારબાદ સુશાંતનાં પિતાનાં વકીલ વિકાસ સિંહે સવાલો ઉભા કર્યા હતા.
સિંહે કહ્યુ હતુકે, જે વાતોનો મત સમયે ઉલ્લેખ કરાયો હતો. તેની ડિટેલ ઓટોપ્સી રિપોર્ટમાં કેમ નથી? ઓટોપ્સી રિપોર્ટમાં મોતનો સમય દર્શાવાયો નથી. આખરે આવું કેમ કરાયુ?
પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરી રહી છે એમ્સની ટીમ
સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ માટે એઈમ્સે પાંચ નિષ્ણાતોની પેનલ બનાવી છે. સીબીઆઈએ એઈમ્સને અહેવાલ પર પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. આ ટીમનું નેતૃત્વ એઈમ્સના ફોરેન્સિક વડા ડો.સુધીર ગુપ્તા કરી રહ્યા છે.