મુંબઈઃ ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર અને સોનૂ નિગમ વચ્ચે અત્યારે અણબનાવ છે. ખરેખર તો, સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પછી જ્યારે બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ચર્ચા શરૂ થઈ તો સોનૂ નિગમે કહ્યું કે, ‘બોલિવૂડ કરતાં મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં મોટા માફિયા છે.’ આ પછી વિવાદ વધતાં સોનૂ નિગમે મૉડેલ મરીના કુંવરનો વીડિયો શેર કરી ભૂષણ કુમારે ઓક્સપોઝ કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 23 વર્ષ પહેલાં ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. આ પછી તેમના દીકરા ભૂષણ કુમાર ટી-સિરીઝને ચલાવી રહ્યા છે. અમે તમને જણાવીએ ગુલશન કુમારે કેવી રીતે કરોડોની કંપની ઊભી કરી.
ગુલશન કુમારનો જન્મ એક પંજાબી પરિવારમાં 1956માં દિલ્હીમાં થયો હતો. ગુલશન કુમારે દિલ્હીની દેશબંધુ કોલેજથી ગ્રેજ્યુએટની ડીગ્રી હાંસલ કરી હતી. દિલ્હીના દરિયા ગંજ વિસ્તારમાં તેમના પિતા ચંદ્રભાનને એક જ્યૂસની દુકાન હતી, ગુલશન કુમાર તેમની સાથે કામ કરતાં હતાં.
જ્યૂસની દુકાનમાં કામ કરતાં-કરતાં કંટાળી ગયા હતાં. એવામાં એક દિવસ તેમના પિતાએ વધુ એક દુકાન ખરીદી હતી, જેમાં સસ્તી કેસેટ અને રેકોર્ડ કરી વેંચતા હતાં.
અહીંથી જ ગુલશન કુમારનું નસીબ બદલાયું. આ પછી ગુલશન કુમારે સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ નામથી કંપની બનાવી, જે ભારતની સૌથી મોટી સંગીત કંપની બની ગઈ. તેમણે આ જ કંપની અંતગર્ત સંગીતની કંપનીને ટી-સિરીઝની સ્થાપના કરી.
ગુલશન કુમારે નોઇડામાં એક પ્રોડક્શન કંપનીની શરૂઆત કરી. ધીરે-ધીરે ભક્તિ અને ભજનો ગાવા લાગ્યા અને તે આ રીતે ખૂબ જ પોપ્યુલર થઈ ગયા. પછી ગુલશને તેમના બિઝનેસને વધતો જોઈ મુંબઈ શિફ્ટ થવાનું નક્કી કર્યું.
મુંબઈ આવ્યા પછી ગુલશન કુમારના નસીબ બદલાઈ ગયા. તેમણે લગભગ 15 કરતાં વધુ ફિલ્મો પ્રોડ્યુસ કરી, જેમાં તેમને એક ફિલ્મ ‘બેવફા સનમ’ ડિરેક્ટ પણ કરી હતી. ગુલશન કુમારની પહેલી પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 1989માં આવેલી ‘લાલ દુપટ્ટા મલમલ કા’ હતી, પણ તેમને સાચી ઓળખ 1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’થી મળી હતી.
23 વર્ષ પહેલાં જ્યારે ગુલશન કુમારની હત્યા થઈ તે પહેલાં જ તે મ્યૂઝિકની દુનિયાાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની ગયા હતાં. રિપોર્ટ્સ મુજબ, ટી-સિરીઝનો બિઝનેસ 24થી વધુ દેશમાં ફેલાયેલો છે.
1997માં મુંબઈના દાદરમાં એક શિવ મંદિર સામે ગુલશન કુમારની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, ગુલશન કુમારે અંડરવર્લ્ડની જબરદસ્તી વસૂલીની માગ આગળ ઝૂકવાની ના પાડી હતી, જેને લીધે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.