Only Gujarat

Bollywood FEATURED

લગ્નને પાંચમાં જ દિવસે આદિત્ય નારાયણે ગુસ્સામાં પત્નીને કહ્યું, જતી રહે પિયર

અભિનેતા અને ગાયક આદિત્ય નારાયણે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નનાં બંધનમાં બંધાયા છે. તેમના લગ્નને લઇને ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્નથી લઈને રિસેપ્શન સુધીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પછી શ્વેતા હવે તેના સાસરિયાના ઘરે ધાર્મિક વિધિઓ કરતી જોવા મળી રહી છે. તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની સાસુ દીપા નારાયણ સાથે રસોઈ બનાવતી જોવા મળી રહી છે. તો, આદિત્ય તેના ટેસ્ટને લઈને ધમકી પણ આપતો જોવા મળી રહ્યો છે. તેઓ પત્નીને ધમકાવતા કહે છે કે, તે યોગ્ય રીતે કરો નહીંતર પિયર જઈને શીખો. જણાવી દઈએકે, આદિત્ય – શ્વેતાએ લગ્ન પહેલાં ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં શ્વેતા એક બાજુ તેની સાસુ સાથે રસોડામાં રસોઇ કરતી જોવા મળી રહી છે, જ્યારે આદિત્ય તેની નવી પત્નીને ટેસ્ટ અંગે ધમકી આપતો જોવા મળી રહ્યો છે.

આદિત્ય, શ્વેતા અગ્રવાલને કહે છેકે, ટેસ્ટમાં કોઈ કસર રહેવી ન જોઈએ, નહી તો જા તારા સાસરીનાં લોકો પાસે…”આદિત્ય ડાયલૉગ ભૂલી જાય છે અને પિયરની જગ્યાએ સાસરું બોલી દે છે. પરંતુ તેની ભુલ સુધારતા કહે છેકે, ટેસ્ટમાં કોઈ કમી રહેવી જોઈએ નહી તો જાય તારા પિયરનાં લોકોની પાસે. વીડિયોમાં આદિત્યાની સાથે સાથે તેનાં પરિવારના લોકો પણ હસી-મજાક કરતાં દેખાઈ રહ્યા છે.

આદિત્યનો વીડિયોને adiholic_simmi નામનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. કપલનાં ચાહકો વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અને સાથે કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આદિત્ય અને શ્વેતા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને પહેલી વખત શ્રાપિત ફિલ્મના સેટ પર મળ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે, શ્વેતાએ પહેલીવાર આદિત્યને રિજેક્ટ કરી દીધો હતો.

ફિલ્મના સેટ પર બંને પહેલીવાર મળ્યા હતા અને અહીંની મુલાકાત પહેલાં મિત્રતા અને પછી પ્રેમમાં ફેરવાઈ હતી. પરંતુ આ બધું એટલું સરળ નહોતું, કેમ કે શ્વેતાને મનાવવા અને રિઝવવા માટે આદિત્યએ ઘણી મહેનત કરવી પડી હતી.

આદિત્યએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે, શ્વેતાએ તેના પ્રસ્તાવને નકારી દીધો હતો. ફિલ્મનું શૂટિંગ એક સાથે શરૂ થયું અને વાતચીત શરૂ થઈ, તેથી એક દિવસ આદિત્યએ શ્વેતાને લંચ ડેટ પર લઈ જવા માટે આમંત્રણ આપ્યું. તેણે કહ્યું હતું કે, તે તેનો આઈડિયા નહી પરંતુ તેની માતા દીપા નારાયણનો આઈડિયા છે. પરંતુ શ્વેતાએ ના પાડી હતી.

આદિત્યએ કહ્યું હતું કે, બાદમાં માતાએ શ્વેતા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તમારે આદિત્ય સાથે લંચ પર જવું જોઈએ, કારણ કે તમે સાથે મળીને ફિલ્મ કરી રહ્યા છો. આ પછી, શ્વેતા અને હું રેસ્ટોરન્ટમાં ગયા અને તે ત્યાં 30 મિનિટ સુધી મોઢુ ફુલાવીને બેઠી હતી, જાણે તેને જીવનમાં કોઈ રસ નથી. જો કે, પછીથી અમારી વચ્ચે બધુ બરાબર થયું હતુ.

આદિત્યએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાનાં હનીમૂન પ્લાન વિશે કહ્યું છે. તેણે કહ્યુંકે, હનીમૂનની ખાસ પળોને તે એક નહી ત્રણ જગ્યાઓએ એન્જોય કરશે. તેણે કહ્યું- અમે અમારા હનીમૂનને એક નહીં, બે નહીં, ત્રણ જગ્યાએ ઉજવવા જઈશું. કોરોના રોગચાળા અને કેટલાક કામોને લીધે તેઓએ મુંબઇ જ રહેવું પડશે. તેથી, તે મુંબઈની આસપાસ રહીને ખાસ દિવસો અને તેના હનીમૂનનો આનંદ માણશે. તેઓ હનીમૂન માટે શિલિમ, સુલા વાઇનયાર્ડ્સ અને ગુલમર્ગની મુલાકાત લેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્યએ મુંબઈમાં એક 5 બીએચકે એપાર્ટમેન્ટ ખરીદ્યું છે અને ટૂંક સમયમાં તે શ્વેતા સાથે ત્યાં શિફ્ટ થઈ જશે. આદિત્યને કહ્યું- મેં અંધેરી વિસ્તારમાં 5 બીએચકે ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ મારા માતાપિતાના ઘરેથી ફક્ત 3 બિલ્ડીંગ છોડીને જ છે. અમે આ એપાર્ટમેન્ટમાં 3-4 મહિના પછી શિફ્ટ થઈ જઈશું. આદિત્યએ કહ્યું કે, મકાન ખરીદવાની યોજના પહેલાથી હતી અને આ માટે તેણે ઘણું બધુ સેવિંગ કર્યુ હતું.

You cannot copy content of this page