Only Gujarat

International TOP STORIES

બે નાની બહેનો સાથે મળીને મોટીએ સૂતેલા બાપ પર કર્યાં ચાકુના અનેક વાર, કારણ પણ એવું કે…

એક ફ્લેટમાં ત્રણ બહેનો પિતા સાથે રહેતી હતી. એક રાત્રે જ્યારે પિતા સૂઈ ગયા, ત્યારે છોકરીઓએ તેમના પર છરી, હથોડી અને મરચું પાવડર વડે હુમલો કર્યો. ઘટના બાદ યુવતીઓએ જાતે પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ બહેનોની ધરપકડ કરવામાં આવી હતી. ચાલો આપણે જાણીએ કે આ મામલો ક્યાંનો છે, કેમ તે ચર્ચામાં સામેલ થઈ ગયો છે અને લાંબા સમય બાદ પણ તેને લઈને ચર્ચા થાય છે?

ત્રણ બહેનો દ્વારા તેમના પિતાનો જીવ લેવાની આ ઘટના રશિયાની છે. રશિયાના ઘણા લોકોનું માનવું છે કે, બહેનોએ જે કર્યું તેના પાછળના નક્કર કારણો હતા અને તેઓએ પોતાના બચાવમાં આવુ કર્યું, પરંતુ ઘણા લોકોની નજરમાં, આ હત્યા સમજી વીચારીને બદલાની ભાવનાથી કરવામાં આવી હતી. હતી.

આ છોકરીઓ ખચાતુર્યન બહેનોના નામથી મીડિયાની હેડલાઇન્સમાં રહી હતી. હુમલા બાદ જ્યારે પિતાના મૃતદેહની તપાસ કરવામાં આવી હતી, ત્યારે તેના શરીર ઉપર ચાકુના 30 નિશાન મળી આવ્યા હતા. પિતાના માથા, ગળા અને છાતી પર હુમલો કરવામાં આવ્યો હતો. તો, જ્યારે પોલીસે હત્યાના કારણોની તપાસ કરી ત્યારે જાણ થઈ કે, પિતા ઘણા સમયથી દીકરીઓ પર ત્રાસ આપતો હતો.

બીબીસીના અહેવાલ મુજબ, તપાસમાં બહાર આવ્યું છે કે લગભગ 3 વર્ષથી પિતા તેમની દીકરીઓને મારતો હતો, જુદા જુદા માધ્યમથી ટોર્ચર કરતા હતા. તેમની પુત્રીઓને કેદીની જેમ રાખતા હતા અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હતું.

ઘટના સમયે એન્જેલીના 18 વર્ષની હતી, પરંતુ મારિયા (17) અને ક્રિસ્ટીના (19) સગીર હતી. ત્રણેય બહેનો તેમના પિતા સાથે મોસ્કોના એક ફ્લેટમાં રહેતી હતી. તો, બહેનોની સાથે, તેમની માતા પણ પિતાના હાથે ઘરેલું હિંસાનો ભોગ બની હતી. પિતાની 27 જુલાઈ 2018ના રોજ બહેનોએ હત્યા કરી હતી. તેની માતા તે સમયે સાથે રહેતી ન હતી. પિતાએ તેની દીકરીઓને તેની માતાને મળવાનું પણ બંધ કરાવી દીધુ હતુ.

જો કે, ઘરેલુ હિંસાના તમામ પુરાવા હોવા છતાં, ત્રણેય બહેનો પર હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. આને કારણે, આ મામલો રશિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. એક અભિયાનમાં ત્રણ લાખથી વધુ લોકો જોડાયા હતા અને બહેનોને મુક્ત કરવાની માંગ કરી હતી. માનવાધિકાર સંગઠનોએ બહેનોને ગુનેગારને બદલે પીડિત ગણાવી હતી અને રશિયન કાયદામાં પરિવર્તનની માંગ પણ ઉભી થઈ હતી.

27 જુલાઈ 2018ના રોજ, જ્યારે બહેનોએ પિતાની હત્યા કરી હતી, તેનાં થોડા સમય પહેલા, 57 વર્ષીય પિતા મિખૈલ ખચાતુર્યનને ત્રણેય બહેનોને એક પછી એક બોલાવ્યા હતા અને ફ્લેટની સફાઇ સારી રીતે નહીં કરવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. આ પછી પિતાએ દીકરીઓના ચહેરા પર મરચું પાવડર પણ નાખ્યુ હતુ. બહેનો તેમના પિતા દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો અને આઈસોલેશનમાં રહેવાને કારણે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સાથે ઝઝૂમી રહી હતી.

રિપોર્ટ અનુસાર, રશિયામાં પોલીસ સામાન્ય રીતે ઘરેલું હિંસાને ‘કૌટુંબિક વિવાદ’ માને છે અને ઘણી ઓછી મદદ કરે છે. તો, પિતાની હત્યાની આરોપી બહેનોની માતાને પણ માર મારવામાં આવ્યો હતો. માતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી કરી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટમાં આ કેસની સુનાવણી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. આ વર્ષે ઘણી વખત સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. કોર્ટે આરોપી બહેનોને જામીન આપ્યા, પરંતુ તેમના પર ઘણા પ્રતિબંધો લાદ્યા, જેમ કે તેઓ પત્રકારો સાથે વાતચીત કરી શકતા નથી અને એકબીજા સાથે વાત કરી શકતા નથી. તો, જો બહેનોને હત્યાના દોષી ઠેરવવામાં આવે તો તેઓ 20 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.

You cannot copy content of this page