મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પછી બોલિવૂડ સ્ટાર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક સ્ટાર સુશાંતની આત્મહત્યાને નેપોટિઝ્મનો શિકાર ગણાવી રહ્યા છે. તો કેટલા સ્ટાર સુશાંતની આત્મહત્યાને એક ષડયંત્ર ગણાવી રહ્યા છે. પાયલ રોહતગીએ સુશાંતની આત્મહત્યાને ષડયંત્ર ગણાવ્યું છે. પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે અને જે સ્ટારના અન્ય મુદ્દા પર હંમેશાં તેની પ્રતિક્રિયા આપતી રહે છે.
પાયલ રોહતગીએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે એક્ટર સુશાંત સિંહ રાજપુતના નિધનને આત્મહત્યા નહીં પણ મર્ડર ગણાવ્યું છે. તેમણે તેમના વીડિયોમાં ખુલાસો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપુત જે ડૉક્ટર પાસે ડિપ્રેશનની સારવાર કરાવતા હતા, તે દરેકને ડિપ્રેશનમાં જ રહેવાની દવા આપતાં હતાં.
આ વીડિયોમાં પાયલ રોહતગીએ વધુમાં કહ્યું કે, ‘સુશાંત સિંહ રાજપુત અંગે જેટલા સમાચાર મેં વાંચ્યા અને સાંભળ્યા છે તે જોઈ મને લાગે છે કે તેમની આત્મહત્યા નહીં પણ મર્ડર થયું છે. તે જે સાઇકોલોજિસ્ટ પાસે તેમની સાવરવાર કરાવતા હતા તેની પાસે જવાની સલાહ દિબાકર બેનર્જીએ આપી હતી. તે સાઇકોલોજિસ્ટ પાસે હું પણ સારવાર કરાવી ચૂકી છું. તે ડૉક્ટર તેમના દરેક દર્દીને બાઇપોલર ડિસઓર્ડર જણાવે છે.’
પાયલ રોહતગીએ કહ્યું કે, ‘હું ખુદ તેમની પાસે ગઈ હતી અને તેમની દવાઓથઈ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે.’ એટલું જ નહીં પાયલ રોહતગીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે, ‘સુશાંત સિંહ રાજપુતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા નહીં પણ તેમનું ગળું દબાવવામાં આવ્યું હતું. સુશાંતના ગળા પર નિસાન જોઈ સપષ્ટ કહી શકાય કે આટો ફિટ યુવક આત્મહત્યા કરી શકે નહીં. સુશાંતનું ગળું દબાવવામાં આવ્યું છે.’
પાયલ રોહતગીએ કહ્યું કે, ‘હું ખુદ તેમની પાસે ગઈ હતી અને તેમની દવાઓથઈ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે.’ એટલું જ નહીં પાયલ રોહતગીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે, ‘સુશાંત સિંહ રાજપુતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા નહીં પણ તેમનું ગળું દબાવવામાં આવ્યું હતું.
સુશાંતના ગળા પર નિસાન જોઈ સપષ્ટ કહી શકાય કે આટો ફિટ યુવક આત્મહત્યા કરી શકે નહીં. સુશાંતનું ગળું દબાવવામાં આવ્યું છે.’