જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારે ધન-સમૃદ્ધિ સાથે દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ઉપાય કરવામાં આવે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહનો હોય છે અને શુક્ર ગ્રહ સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, કલા, સંગીત, કામ વાસના અને દરેક પ્રકારના સાંસારિક સુખનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શુક્રવારની રાતે વિશેષ પૂજા કે ઉપાય કરવામાં આવે તો જાતકને તેનો લાભ મળી શકે છે. જાતક પર માતા લક્ષ્મીનો આશીર્વાદ સદૈવ રહે છે. આવો જાણીએ માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ મેળવવા માટે શુક્રવારના દિવસ શું કરવું જોઈએ.
ધનની દેવી મા લક્ષ્મીની આરાધના કરવી
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારની રાતે 9થી 10 વાગ્યા દરિયાના મા લક્ષ્મીની વિધિ મુજબ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી જાતકની આર્થિક સમસ્યા દૂર થશે અને જાતકના જીવનમાં ક્યારેય ધનની કમી રહેશે નહીં.
પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખવું
ધાર્મિક માન્યતાઓ મુજબ ગુલાબી રંગ શુક્ર ગ્રહ અને મા લક્ષ્મીજીનો પ્રિય રંગ છે. એટલે રાતે મા લક્ષ્મીની પૂજા સમયે ગુલાબી રંગના વસ્ત્ર પહેરી પૂજા કરવી જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન થાય છે.
મા લક્ષ્મીની પ્રતિમા સાથે શ્રીયંત્ર જરૂર રાખવું
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, દેવી અષ્ટ લક્ષ્મીની પ્રતિમાને ગુલાબી રંગના આસન પર રાખવી જોઈએ. સાથે જ મા લક્ષ્મીની પ્રતિમા સાથે શ્રીયંત્ર પણ જરૂર રાખવું જોઈએ. પૂજાના થાળમાં ગાયના ઘીનાં 8 દીવા પણ પ્રગટાવવા અને ગુલાબના સુગંધવાળી અગરબત્તી કે ધૂપ કરી મા લક્ષ્મીને માવાનો ભોગ ધરાવવો.
આ છે પૂજા કરવાની સાચી વિધિ
મા લક્ષ્મીના પૂજન સમયે શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીની પ્રતિમાં પર અષ્ટ ગંધથી તિલક કરવું જોઈએ. આ પછી કમળ ગટ્ટાની માળાથી ‘એં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયૈ હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છા નમઃ સ્વાહા।’ મંત્રનો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે 108 વાર જાપ કરવો જોઈએ.
દીવાને આ દિશામાં રાખવો
પૂજામાં રાખવામાં આવેલાં 8 દીવાને ઘરની આઠ દિશામાં રાખવા. તો કમલ ગટ્ટાની માળાને તિજોરીમાં રાખી દેવી. પૂજામાં જાણે-અજાણે થયેલી ભૂલની ક્ષમા માગવી અને માતાજીને વિનંતી કરવી કે તે તમારા પર તેમની કૃપા દૃષ્ટી સદૈવ રાખે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્યની વૃદ્ધિ કરે.