મુંબઈઃ સૂર્ય એક શક્તિશાળી ગ્રહ છે અને દરેદ ગ્રહનો રાજા પણ છે. સૂર્ય ગ્રહે 16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહ જે રાશિમાં જાય તે રાશિના નામથી સંક્રાતિ થાય છે. આ વખતે 16 જુલાઈએ કર્ક સંક્રાંતિ છે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરની સાત રાશિ પર નકારાત્મક અસર થઈ શકે છે. સાત રાશિના લોકોના પરિવારમાં કલેહ, આર્થિક નુકસાન અને અન્ય પ્રકારના કષ્ટો આવી શકે છે. સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશવાથી તમારી રાશિ પર કેટલી થશે અસર જાણો.
મેષ
મેષ રાશિના ચતુર્થભાવમાં સૂર્યનું ગોરચ થવાથી કેટલાક પારિવારીક કલેહને લીધે માનસિક અશાંતિ થઈ શકે છે, પણ અન્ય ગ્રહ ગોચરના શુભપ્રભાવના પરિણામ સ્વરૂપ સફળતાનો મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી પરિવારના મોટા સદસ્ય સાથે મદભેદ ઊભા ન થવા દેવાં. મકાન, વાહનના ક્રયની સ્થાપના પૂર્ણ થઈ શકે છે. સામાજિક પદ પ્રતિષ્ઠા પણ વધશે.
મિથુન
મિથુન રાશિના ધનભાવમાં સૂર્યનું ગોચર આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. ઘણાં દિવસો પહેલાં આપવામાં આવેલું ધન પાછું આવી શકે છે. પરિવારમાં કલેહ અને અલગાવની સ્થિતી ઊભી થઈ શકે છે. જેને ગ્રહ યોગ સમજી વધવા દેવી નહીં. સ્વાસ્થ્ય પર કેટલોક પ્રતિકૂળ પ્રભાવ પડશે અગ્નિ, વિષ અને દવાઓના રિએક્શનથી બચવું. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચવું.
કર્ક
કર્ક રાશિમાં સૂર્યનું આવવું પીડાદાયી તો છે પણ, તમારા સાહસ અને શૌર્યની સરાહના થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલી પ્રતિષ્ઠાનો સંબંધિત કોઈ પણ મોટું કાર્ય કરાવવાનો સારો અવરસ છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ઉત્તમ રહેશે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવનો પણ યોગ છે. દૈનિક વેપારિઓ માટે પણ લાભનો અવસર વધશે.
સિંહ
સિંહ રાશીના હાનિ ભાવમાં સૂર્યનું ગોચર મિશ્ર ફળ આપશે. કર્ક રાશિના જાતકોને કષ્ટકારક યાત્રા પણ કરવી પડે અથવા કોઈ સંબંધી અથવા મિત્રો પાસેથી અશુભ સમાચાર પણ પ્રાપ્ત થશે પણ, શત્રુ પરાસ્ત થશે અને સફળતા મળશે. સ્વાસ્થ્ય વિશેષ કરી ડાબી આંખનું ધ્યાન રાખવું શરીરમાં કેલ્શિયમની અછત ન હોવા દેવી. માસાંતદ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થતી જશે અને ધૈર્ય બનાવી રાખશે.
ધન
રાશિના અષ્ટમભાવમાં સૂર્યનું ગોચર તમને મહાપ્રતાપી બનાવશે પણ કોઈને કોઈ કારણે તમને માનસિક પીડા હેરાન કરશે. કાર્યક્ષેત્રમાં પણ ષડયંત્રનો શિકાર થતાં બચવું યધ્યપિ ગુપ્ત શત્રુ પરાસ્ત થશે. મહિનાના અંતિમ સપ્તાહથી ગ્રહ ગોચરમાં સુધારના પરિણામ સ્વરૂપ કાર્યક્ષેત્રનો વિસ્તાર પણ થશે અને સફળતા મળશે. દૈનિક વેપારીઓ માટે સમય વધુ અનૂકુળ રહેશે.
મકર
મકર રાશિના સાતમા ભાવમાં સૂર્યનું ગોચર દાંપત્ય જીવન માટે સારું રહેશે નહીં. કહેવાય છે કે, લગ્ન સંબિધિત વાતમાં વિલંબ થઈ શકે છે. સાસપી પક્ષથી સંબંધો બગડવા દેવા નહીં. વેપારીઓ માટે સમય અપેક્ષાકૃત સારો રહેશે. કોર્ટ કચેરીની બાબત પૂરી થશે. સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે અને નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિના પણ યોગ બનશે.
કુંભ
કુંભ રાશિના શત્રુભાવમાં સૂર્યનું ગોચર તમને શત્રુમર્દી તો બનાવશે પણ ઘણીવાર જોવા મળ્યું છે કે, તેનો સ્વાસ્થ્ય પર પણ વિપરીત પ્રભાવ પડી શકે છે. વિશેષ રીતે હૃદય રોગથી બચવું પડશે. એવામાં દેવું અને લેણદેણથી પણ બચવું જ્યાં સુધી થઈ શકે ઝઘડાથી દૂર રહેવું. મિત્રો અથવા સંબંધિઓ દ્વારા અશુભ સમાચાર પણ મળી શકે છે. ભાવનાઓમાં આવી લીધેલા નિર્ણય નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે.