Only Gujarat

FEATURED Religion

21 જૂને સૂર્યગ્રહણના પ્રભાવને લીધે આ 6 રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની

21 જૂને સૂર્યગ્રહણ પછી વિશ્વમાં અનેક પ્રકારની આપત્તિ આવવાની જ્યોતિષો દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યગ્રહણના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે, પણ કેટલીક રાશિઓના જાતકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણના પ્રભાવને લીધે 6 રાશિના જાતકોના જીવનમાં અશુભ ઘટનાઓ થઈ શકે છે.અમે તમને જણાવીએ કે કઈ 6 રાશિઓના જાતકોએ સૂર્યગ્રહણના પ્રભાવથી સાવધાન રહેવાની જરૂર છે.

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ આર્થિક રીતે અને નોકરીના ક્ષેત્રમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. માટે વૃષભ રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે. વૃષભ રાશિમાં સૂર્યગ્રહણ દ્રિતીય ભાવમાં થશે. દ્રીતિય ભાવ રૂપિયા અને પરિવારનો ભાવ માનવામાં આવે છે. આ સમયે વૃષભ રાશિનો ખર્ચ પણ વધી શકે છે. વૃષભ રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પરિવારમાં ઓછા ખર્ચ થશે. ફાલતૂ ખર્ચ ન કરવાની જરૂર છે. જો આંખોમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો સાવધાની રાખવાની જરૂર છે.

મિથુન
મિથુન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે નહીં. મિથુન રાશિમાં સૂર્યગ્રહણ થશે જે શુભફળદાયી હશે નહીં. મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ શકે છે. મિથુન રાશિના જાતકોએ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. ફેફસામાં તકલીફ થઈ શકે છે. ડૉક્ટર જે સલાહ આપે તેના પર કામ કરવાની જરૂર છે. મિથુન રાશિના જાતકો માટે આર્થિક રીતે સારું રહેશે નહી અને ખૂબ જ નુકસાન થશે.

કર્ક
કર્ક રાશિમાં સૂર્યગ્રહણ 12માં ભાવમાં થશે.12મો ભાવ રૂપિયાનું નુકસાન દર્શાવે છે. કર્ક રાશિના જાતકોએ આ સમયે કોઈ જમીન, ભવન અને વાહનના ચક્કરમાં પડવું જોઈએ નહીં. અત્યારે સ્વાસ્થ્ય બાબતે પણ વિશેષ રીતે સાવધાન રહેવાની જરૂર છે. ફાલતૂ ખર્ચ કરવાથી બચવું. રૂપિયાની બાબતમાં અત્યારે કર્ક રાશિના જાતકોને મોટું નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિમાં સૂર્યગ્રહણ 8માં ભાવમાં થશે. 8મો ભાવ સ્વાસ્થ્ય વિશે જણાવે છે. આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોએ દરેક પ્રકારના સંક્રમણથી બચવાની જરૂર છે. આ સમયે પરિવાર અને રૂપિયા સાથે જોડાયેલી બાબતોમાં સાવધાન રહેવું અને ખૂબ જ વિચારીને કાર્ય કરવાની જરૂર છે. આ સમયે કોઈ રોકાણ કરવું સારું રહેશે નહીં. શ્વાસ સંબંધિત બીમારો અંગે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ધન
ધન રાશિમાં સૂર્યગ્રહણ 7માં ભાવમાં થશે. ધન રાશિના જાતકો છેલ્લા સૂર્યગ્રહણને લીધે આવેલી મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જશે. ધન રાશિના જાતકોએ સૂર્યગ્રહણને લીધે વધારે મુશ્કેલીનો સામનો કરવો નહી પડે. અધિકારીઓ સાથે વિવાદ વધી શકે છે. વધારે જવાબદારી સંભાળી પડી શકે છે. ધન રાશિના જાતકોએ સ્વાસ્થ્યની બાબતે પહેલાં કરતા વધુ સાવધાન રહેવાની જરૂર છે.

કુંભ
કુંભ રાશિમાં સૂર્યગ્રહણ 5માં ભાવમાં થશે. કુંભ રાશિના જાતકો સૂર્યગ્રહણથી માનસિક તણાવમાં આવી શકે છે. ધન રાશિના જાતકોએ ધ્યાનનો સહારો લેવો જોઈએ. સૂર્યગ્રહણના પ્રભાવને લીધે કોઈ રિલેશનશિપથી બચવું જોઈએ. પહેલાંથી કોઈ રિલેશનશિપમાં હોય તો તણાવનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણને લીધે રૂપિયાની બાબતે ખાસ લાભ થશે નહીં. જોકે, રોજિંદા ખર્ચમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. આર્થિક બાબતોમાં સ્થિતી સારી રહેશે.

6 રાશિના જાતકોએ આ ઉપાય કરવા
ગ્રહણ દરમિયાન આ 6 રાશિના જાતકોએ ગ્રંથનો પાઠ કરી ખુદને પ્રસન્નચિત અવસ્થામાં રાખવા જોઈએ. રોગ શાંતિ માટે ગ્રહણકાળમાં તમારી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. કાંસાની વાટકીમાં ઘી ભરી તેમાં ચાંદીનો સિક્કો નાખી તમારું મુખ જોઈ છાયાપાત્ર મંત્ર વાંચવો. તે પછી ગ્રહણ પૂરું થયા પછી વસ્ત્ર, ફળ અને દક્ષિણા સહિત બ્રાહ્મણને દાન કરવાથી રોગ મૂક્ત થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page