મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરતાં સમગ્ર બોલિવૂડ, ટીવી ઇન્ડસ્ટ્રી અને લોકો સ્તબ્ધ છે. પટનાથી મુંબઈ આવેલાં 34 વર્ષના સુશાંત ખૂબ હેરાન હતા અને ડિપ્રેશનની સારવાર કરાવતાં હતાં. તેમના મૃત્યુ પછી તેમના પરિવાર આઘાતમાં છે. સુશાંતના ફેન્સ તેમના મૃત્યુની તપાસ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આજે સુશાંતના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી પ્રાથમિક રિપોર્ટમાં કોઈ જાહેર કે મોતનું અન્ય કારણ સામે આવ્યું નહોતું.
સુશાંતના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેમના પિતા કે. કે. સિંહને થયો છે. સુશાંતની ચાર બહેનો વચ્ચે એકને એક ભાઈ હતાં. સુશાંત તેમની માતા અને એક બહેનના મૃત્યુ પછી તેમના પિતા ભાંગી પડ્યાં છે. સુશાંતના ઘરે સૌથી પહેલાં તેમની બહેન પહોંચી હતી. અત્યારે મળતી માહિતી મુજબ સુશાંતે તેમના પિતા સાથે મૃત્યુના થોડાં દિવસ પહેલાં વાત કરી હતી.
સુશાંતે પિતા સાથે છેલ્લીવાર વાત કરી હતી
સુશાંત સિંહ રાજપુતે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં પટનાના તેમના ઘરે કામ કરતી લક્ષ્મી દેવીને ફોન કર્યો હતો. જેમાં તેમણે મેડ લક્ષ્મીને તેમના પિતાનું ધ્યાન રાખવાં કહ્યું હતું. સુશાંતે કહ્યું હતું કે, ‘કોરોના વાઇરસના આ સમયે મારા પિતાનું ખૂબ જ ધ્યાન રાખજો.’ આ સાથે જ સુશાંતે તેમના પિતા સાથે વાત કરી તેમને કોરોનાના આ સમયે ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું હતું. એવામાં કે. કે. સિંહ અને લક્ષ્મીને આ વાતનો અંદાજો નહોતો કે સુશાંતનો તેમને છેલ્લો ફોન છે.
સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળી તેમના પિતાને મોટો આઘાત લાગ્યો છે. સુશાંતના પિતા પરિવારના અન્ય સભ્યો સાથે પટનાથી મુંબઈ આવ્યા છે. મુંબઈના વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાને લીધે અંતિમ સંસ્કારમાં વધારે લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. સુશાંતના પિતા અને નજીકના સંબંધી સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થયાં હતાં.
બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સુશાંત સિંહ રાજપુતના મૃત્યુથી સ્તબ્ધ છે. દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની સાથે કામ કરી ચૂકેલા સાથી કલાકારો તેમના ખુસમિજાજ અંદાજ અને સરળ વ્યક્તિત્વને યાદ કરી રહ્યા છે. જોકે, દરેક માટે સુશાંતના મૃત્યુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સુશાંત સિંહ રાજપુતના મૃત્યુથી સ્તબ્ધ છે. દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની સાથે કામ કરી ચૂકેલા સાથી કલાકારો તેમના ખુસમિજાજ અંદાજ અને સરળ વ્યક્તિત્વને યાદ કરી રહ્યા છે. જોકે, દરેક માટે સુશાંતના મૃત્યુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.