Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહની આત્મહત્યા પર મુકેશ ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું, મને પહેલાં જ લાગતું હતું…..

મુંબઈ: 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બધાં જ લોકો શોકમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન સહિત અન્યએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનમાં હતો. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. આ દરમિયાન ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે ખુલાસો કર્યો કે તે સુશાંતને મળ્યો ત્યારે જ મે અનુભવ્યું હતું કે બધું બરાબર નથી.

ફિલ્મ ‘સડક 2’ ની કાસ્ટિંગ દરમિયાન મુકેશ ભટ્ટ સુશાંતને મળ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં મુકેશ ભટ્ટે કહ્યું હતું કે, મેં આ વિશે મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી અને ઈશારો કર્યો હતો કે, સુશાંત પરવીન બાબીના માર્ગ પર છે. મને પહેલેથી જ લાગ્યું હતું કે આવું કંઈક થવાનું છે.

મુકેશ ભટ્ટે વધુમાં કહ્યું કે, ‘હું ઘણાં અવસરોએ સુશાંતને મળ્યો છું. હું તેને પહેલીવાર 2012માં મળ્યો હતો જ્યારે ફિલ્મ ‘આશિકી 2’ની કાસ્ટિંગ ચાલી રહી હતી. તે અમારી ઓફિસ આવ્યો. ત્યાર બાદ ‘સડક 2’ની કાસ્ટિંગ દરમિયાન સુશાંત સાથે ફરી મુલાકાત થઈ હતી.

મુકેશ ભટ્ટે ખુલાસો કર્યો કે, આલિયા ભટ્ટ અને મેં તે વિશો વાત કરી હતી કે સુશાંતને ફિલ્મમાં રસ છે. જ્યારે હું તેને ‘સડક 2’ દરમિયાન મળ્યો ત્યારે તે ખૂબ જ પરેશાન લાગ્યો હતો.

કંઈક એવું હતું જેના કારણે હું તેની સાથે જોડાવા માટે અસમર્થ હતો. મુકેશ કહે છે કે, તે મને ફિલ્મ માટે માનસિક રીતે તૈયાર દેખાતો નહોતો.

મુકેશે વધુમાં જણાવ્યું છે કે, તે ખૂબ જ અસ્વસ્થ છોકરો હતો. જ્યારે હું તેની સાથે વાત કરતો હતો ત્યારે લાગ્યું કે તે ત્યાં નથી અને ક્યાંક ખોવાઈ ગયો છે. મને લાગ્યું કે કંઇક ગડબડ છે.

મુકેશ કહે છે કે, મને ડર હતો કે સુશાંત પરવીન બાબીના માર્ગ પર ન જાય. આના વિશે મહેશ ભટ્ટ સાથે પણ ચર્ચા થઈ. આ દુખદ ઘટનાને લઈને બધાં જ આશ્વર્યાંચકિત છે. પરંતુ હું નથી. મેં આ બધું પહેલેથી જોયું હતું. મને ખૂબ જ દુ:ખ છે કે એક યુવાન અને પ્રતિભાશાળી છોકરો આપણી વચ્ચે નથી.

You cannot copy content of this page