Only Gujarat

Bollywood FEATURED

કોરોનાવાઈરસને મારવાને બદલે જેઠાલાલે આ કોની ધોલાઈ કરી નાખી, બાપુજી તો નથી ને ક્યાંક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના જેઠાલાલ હવે નવા અવતારમાં જોવા મળશે. હંમેશા હસતા રહેતા જેઠાલાલે રૌદ્રરૂપ ધારણ કર્યું છે. ઘણાં મહિનાથી ચાલી રહેલા લોકડાઉન બાદ સરકારે તમામ લોકોને પોતાના કાર્યો કરવાની છૂટ આપી છે. આનાથી જેઠાલાલ બહુ જ ખુશ થઈ ગયા છે કારણ કે તેમને ફરીથી પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિકસ જવાની તક મળી છે.

પોતાની દુકાન ખોલશે આ ખુશીને લઈ જેઠાલાલ પોતાના બેડરૂમમાં જાય છે અને બહુ જ ઉત્સાહી થઈ જાય છે. પરંતુ અડધી રાતે તેમને કંઈક અવાજ સંભળાવવા લાગે છે અને તેઓ જાગી જાય છે. અડધી રાતે ઉંઘમાં હોવાને કારણે તેમને રાક્ષસ જેવું દેખાય છે પણ તે ઉંઘમાં હોવાને કારણે ઝાંખુ દેખાય છે.

જે પોતાના કોરોનાવાયરસ હોવાનો દાવો કરે છે અને તે જેઠાલાલને ડરાવવાની કોશિશ કરે છે અને કહે છે કે, ભલે લોકડાઉન ખુલી ગયું હોય તે ફરીથી લોકોને અને ખાસ કરીને ગડા પરિવારને પરેશાન કરશે.

આ સાંભળી જેઠાલાલ ગુસ્સામાં કોરોના વાયરસ પર વરસે છે. જેઠાલાલ કોરોનાવાયરસની ધમકીઓને નકારીને તેને તાત્કાલિક તેમના ઘરમાંથી નિકળવા માટે કહે છે. જેઠાલાલ કોરોનાવાયરસને કહે છે કે, એક માણસ ગમે તેટલો પરેશાનમાં હોય પરંતુ પોતાના પરિવારને કોઈ નુકશાન પહોંચવા નહીં દે. આ કહીને જેઠાલાલની બાજુમાં પડેલ બાપુજીની છડીને ઉપાડે છે અને કોરોના વાયરસને મારવાનું શરૂ કરે છે.

આ બધું હકીકત નથી પરંતુ જેઠાલાલને આવેલું એક સપનું છે. પરંતુ આ સપનું વાસ્તવિકતામાં વસ્તૃત થઈ શકે છે જે બધાને ખુશ કરી દેશે. જ્યાં કોરોના વાયરસ ફક્ત જેઠાલાલની કલ્પનાનું એક અનુમાન છે, જે લાકડીથી અને જે વ્યક્તિને તેઓ મારી રહ્યા છે તે કાલ્પનિક નથી. તો કોની ધોલાઈ કરી રહ્યાં છે જેઠાલાલ? કઈ મુસિબતમાં ફસવાના છે જેઠાલાલ? જાણવા માટે જોતા રહો સોમવારથી શુક્રવાર રાતે 8:30 વાગે ફક્ત સબ ટીવી પર…..

You cannot copy content of this page