મુંબઈમાં એક જ બિલ્ડિંગમાં રહે છે યુવરાજ સિંહ અને વિરાટ કોહલી, જાણો કોનું ઘર છે કેટલું સુંદર?
કોરોના વાયરસના કહેરના કારણે રમત-ગમતની તમામ ઇવેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. આ કારણે તમામ ખેલાડીઓ પોતાના ઘરની અંદર જ આરામ કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ પણ ઘણા સમયથી ઘરમાં જ આરામ કરી રહ્યાં છે. યુવીએ છેલ્લા રોડ શેફ્ટી સીરિઝમાં પોતાનો આક્રમક અંદાજ દેખાડ્યો હતો. પરંતુ કોરોનાને કારણે આ સીરિઝ પણ રદ્દ થઇ ગઇ અને ત્યારથી તેઓ પોતાના ઘરે આરામ કરી રહ્યાં છે. યુવરાજનું ઘર પણ વર્લીના એ એપાર્ટમેન્ટ છે જ્યાં વિરાટ અને અનુષ્કા રહે છે. યુવરાજે આ ઘર કોહલીએ ખરીદ્યા બાદ લીધું હતું. વિરાટ અને અનુષ્કાએ સાથે મળી 2013માં અહીં ઘર લીધું હતું. જ્યારે યુવરાજે 2018માં આ બિલ્ડિંગમાં એક ઘર લીધું હતું. જો કે યુવરાજનું ઘર કોહલીના ઘરથી ઘણું જ મોંઘું છે.
યુવરાજે વર્ષ 2018માં મુંબઇના વર્લીમાં 2 ફ્લેટ લીધા હતા.
વિરાટના ઘરની કિંમત 34 કરોડ છે તો યુવરાજે અહીં ઘર પાછળ 64 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
વિરાટ અને યુવરાજના ઘર વર્લીમાં ઓંકાર ટાવર્સમાં છે.
યુવરાજનું આ ઘર 29માં માળે છે, જ્યારે કોહલીનું ઘર 34માં માળે છે.
યુવરાજે ઉબર પ્લસ એપાર્ટમેન્ટ માટે દર સ્ક્વેયર ફૂટે 40,000 રૂપિયા ખર્ચ કર્યા હતા.
વિરાટે ભલે 2013માં અહીં ઘર ખરીદ્યું હોય પરંતુ ઇમારત સંપૂર્ણ રીતે બનીને 2018માં તૈયાર થઇ હતી. ત્યારબાદ જ તમામ લોકોને અહીં રહેવાની મંજુરી મળી હતી.
યુવરાજ અને વિરાટ બંને ખેલાડીઓ પાસે મુંબઇ સિવાય ગુડગાંવમાં પણ લક્ઝરી ઘર છે.
2011 બાદ યુવરાજ ભલે કોઇ કમાલની ઇનિંગ્સ રમ્યો ન હયો પરંતુ IPLમાં તેણે કમાણીમાં કોઇ કસર બાકી રાખી નથી.
હજુ પણ યુવરાજ ટી-10 લીગ અને અન્ય પ્રકારે સારી એવી કમાણી કરી રહ્યા છે. આજ કારણ છે કે તેઓએ કોહલીથી લગભગ બેગણા પૈસા આપી આ ઘર ખરીદ્યું છે.
યુવરાજ અને વિરાટ બંને ખેલાડીઓના ઘર દરિયાકાંઠે છે. લોકડાઉન દરમિયાન અહીંથી સુંદર નજારો જોવા મળે છે.